સુરત: BJPના કિશોર કાનાણીના કાર્યાલય પર PAAS કરી તોડફોડ
સુરતમાં વારંવાર પાટીદાર નેતા અને ભાજપી કાર્યકર્તાઓ આમને સામને આવી રહ્યા છે. રવિવારે વરાછામાં ધારાસભ્ય કિશોર કાનાણીના કાર્યાલય પર પણ પાસ કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીનું કાર્યાલય આવેલું છે ત્યાં ગત મોડી રાત્રે પાસના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ભાજપના કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પણ બની હતી.આ ઘટનામાં પાસના કાર્યકરો તથા ભાજપના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાની ઘટના પણ સામે આવી છે. આ ઘટનામાં સૂત્રોના જણાવ્યા મુજબ એવી વિગતો એવી છેકે થોડા મહિનાઓ અગાઉ પાસના એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ આશરે દોઠેક વર્ષ પહેલા બનેલી ઘટના હતી. અને આ યુવક પર હુમલો ભાજપે કરાવ્યો હોવાની આશંકા સાથે ગત રાત્રે પાસના કાર્યકરોએ કિશોર કાનાણીના ભાજપ કાર્યાલયને નિશાન બનાવી હતી અને બંને પક્ષો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

કિશોર કાનાણીના જણાવ્યા પ્રમાણે તેઓ જ્યારે હિરાબાગ પાસે લોકસંપર્કમાં નીકળ્યા હતા. ત્યારે આ હુમલો કરાવવામાં આવ્યો છે. આ ઘટના બાદ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસે ઘટનાને થાળે પાડી હતી. હાલ તો પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે પરંતુ હવે આ ઘટનામાં નવો ફણગો શું ફૂટે છે તે જોવું રહ્યું. નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવી ઘટનાએ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.












Click it and Unblock the Notifications
