ગાંધીનગરમાં આજથી ગુજરાત ગ્લોબલ હાઇટેક એગ્રો સમિટ
ગાંધીનગર, 9 સપ્ટેમ્બરઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે મહાત્મા મંદિર પરિસરમાં યોજાઇ રહેલા વૈશ્વિક કૃષિ સંમેલન( વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ-2013માં અતિ આધુનિક કૃષિ પ્રદર્શન-એગ્રી ટેક એશિયા એક્ઝીબિશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
આજે સાંજે મહાત્મા મંદિર પરિસરમાં મુખ્ય મંત્રીએ દેશના વિવિધ રાજ્યોના કિસાન ડેલીગેશનો અને વિશાળ ખેડૂતોની હાજરીમાં કૃષિ વિષયક પ્રદર્શન ખુલ્લું મુકતાં જણાવ્યું કે, રાષ્ટ્રીય અર્થતંત્રમાં સંશોધિત કૃષિ ક્ષેત્રનો નવા પ્રયોગો-મહિમા ઉજાગર કરવાનો પ્રયાસ ગુજરાતે કર્યો છે, જે ઐતિહાસિક બની રહેશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં પ્રથમવાર કૃષિ વિષયક આવી સમીટ યોજાઇ છે. દુનિયાના 14 દેશો અને દેશના 23 રાજ્યો ભાગીદાર થયા છે. તેમણે આ એગ્રીટેકને ભારતનો સૌથી મોટો ફેર ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ઇઝરાયલે કૃષિ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે, ત્યાં આવી સમીટ દર ત્રણ-ચાર વર્ષે યોજાય છે. આપણો આ પ્રથમ પ્રયાસ છે જે ખેડૂતોને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ માટે માર્ગદર્શક બનશે અને ભારતના ગ્રામીણ જીવનમાં લાભ પહોંચાડવા ગુજરાત સરકારે જે પ્રયાસ કર્યો છે તે મહત્વનો બની રહેશે.

દેશભરમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે, ત્યારે ગુજરાતની કૃષિને વૈશ્વિક નક્શા પર મુકીને કૃષિકારોને આવા પ્રદર્શનો દ્વારા ખેતી પહેલાંની અને ખેતી બાદની તમામ માહિતી એક જ સાથે, એક જ સ્થળેથી મળી રહે તેની ચિંતા સેવીને આ પ્રદર્શનનું આયોજન થયું છે.
આ પ્રદર્શનમાં ભારત અને વિદેશની 250 જેટલી કંપનીઓએ ભાગ લીધો છે. 15 હજાર ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા અને 3 ખાસ એક્ઝીબીશન હોલમાં યોજાયેલા આ પ્રદર્શનની મુલાકાત અંદાજિત બે લાખથી પણ વધુ મુલાકતીઓ લે તેવી શક્યતાઓ છે, પરિણામે આ પ્રદર્શન એશિયાનું અગ્રણી એક્ઝીબીશન બની રહેશે.
એગ્રીટેક એશિયા-2013માં કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓના નિદર્શન સાથે કૃષિ ક્ષેત્રના જુદા-જુદા 25 જેટલાં સેક્ટરો આવરી લેવામાં આવ્યા છે. ખેતી પહેલાં સિંચાઇ અને ટેક્નોલોજી, ગ્રીનહાઉ, પ્લાસ્ટીકલ્ચર, કૃષિ ઉદ્યોગો, ડેરી ટેક્નોલોજી લાઇવ સ્ટોક ફેબ્રીકેશન, પશુપાલન, ખાતર, સરકારી એસોસિએશન, બિયારણ કંપની કોઇર પ્રોડક્ટ, એગ્રો કેમિકલ્સ, ટ્રેક્ટર અને તેના પાર્ટ્સ ઉત્પાદકો, ફૂડ ટેક્નોલોજી, ટાયર, પેકેજિંગ, પમ્પસ, પરંપરાગત ઉર્જા વાયર ટેક્નોલોજી, કૃષિ વપરાશી વસ્તુઓ, કૃષિ મેગેઝીન-અખબારો અને વેબ પોર્ટલ ક્ષેત્રની ટોચની કંપનીઓએ ભાગ લીધો છે.
એગ્રીટેક એશિયા-2013માં પશુપાલન અને ડેરી ફાર્મ ઉદ્યોગ અંગે ખેડૂતોને જાણકારી મળે તે હેતુથી ખાસ સેક્શન ઉભું કરવામાં આવ્યું છે. ખેડૂતો અત્યાધુનિક કૃષિજ્ઞાન દ્વારા વધુ કમાણી કરી શકે, રોજગારીનું નવું સાધન ઉભું થાય તેવી માહિતી ઉપરાંત વધુ પાક ઓછી જમીનમાં કેવી રીતે લેવાય, પાક ઉગ્યા બાદ તેનો બગાડ કેવી રીતે ઓછો થાય તેવી આધુનિક ટેક્નોલોજી સાથેની જાણકારી ખેડૂતોને માટે ઉપલબ્ધ કરાઇ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
