રાજકોટમાં પોલીસદમન કેસમાં વળતર ચૂકવવવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાત હાઇકોર્ટે આ અંગે મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું છે કે આ કેસમાં દલિતો પર દમન કરનાર જવાબદાર પોલીસ કર્મીઓના પગારમાંથી અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવે. જેના પેટે દરેક પીડિતને 25,000 રૂપિયા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત કોર્ટે જવાબદાર પોલીસ કર્મીઓની ઝાટકણી પણ કાઢી હતી.
કોર્ટે જણાવ્યું કે પોલીસકર્મીઓએ દલિતોને મારવામાં કોઇ કસર બાકી રાખી ન્હોતી. આ ઉપરાંત કોર્ટે આ અંગે પોલીસકર્મીઓની ખાતાકીય તપાસ કરવાનો આદેશ ગૃહવિભાગને કર્યો છે.












Click it and Unblock the Notifications
