ગુજરાત: બાળકનું અપહરણ કરવાના આરોપમાં વ્યક્તિની ધુલાઈ
ગુજરાતમાં બે અલગ અલગ ઘટનાઓમાં બાળકોને ઉઠાવવાની શંકામાં લોકોએ શકાસ્પદની ધુલાઈ કરી નાખી છે.
ગુજરાતમાં બે અલગ અલગ ઘટનાઓમાં બાળકોને ઉઠાવવાની શંકામાં લોકોએ શકાસ્પદની ધુલાઈ કરી નાખી છે. રાજકોટમાં સ્થાનીય લોકોએ બાળક ઉઠાવવાની શંકામાં એક વ્યક્તિની પીટાઈ કરી નાખી. રાજકોટ ડીએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે થયી જયારે એક મંદિરના પુજારીએ આરોપીને બાળક ઉઠાવવાની કોશિશ કરતા જોયો.
ત્યાં જ ગુજરાતના તાપી શહેરમાં સ્થાનીય લોકોએ બાળક ઉઠાવવાની અફવાહમાં ત્રણ લોકોની પીટાઈ કરી નાખી. ત્યાં જ પોલીસના જણાવ્યા અનુસાર આ ત્રણે લોકો કિડનેપર નથી, તેઓ સોશ્યિલ મીડિયામાં ફેલાયેલી અફવાહનો શિકાર બન્યા છે. જાણકારી અનુસાર દિલીપ દેવરામ સાવરે, જેઓ સુરતના રહેવાસી છે. લોકોને તેમની ગતિવિધિઓ પર શંકા હતી. ખરેખર જયારે લોકોએ દિલીપને એક બાળકીને ચોકલેટ આપતા જોયો ત્યારે તેમને શંકા થયી કે તે બાળકોનું અપહરણ કરે છે ત્યારપછી લોકોએ તેની પીટાઈ કરી નાખી.
પોલીસે જણાવ્યું કે દિલીપ દેવરામ સાવરેનું કહેવું છે કે તેઓ પોતાના મિત્રના ઘરે જઈ રહ્યા હતા. તેને પોલીસને જણાવ્યું કે તેની પાસે દારૂ છે અને તેઓ તમ્બાકુ ખરીદવા જઈ રહ્યા હતા જયારે દુકાનદારે છુટ્ટા પૈસા નહીં હોવાને કારણે તેને ચોકલેટ આપી, ત્યારે તેને તે ચોકલેટ બાળકીને આપી દીધી. પોલીસે દિલીપ દેવરામ સાવરેની ધરપકડ કરી લીધી છે પરંતુ તેના પર અપહરણ કરવાનો મામલો નથી નોંધ્યો.