Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતઃ બે વર્ષમાં નવજાત શિશુ યૂનિટ્સમાં 15 હજારથી વધુ બાળકોનાં મોત

ગુજરાતઃ બે વર્ષમાં નવજાત શિશુ યૂનિટ્સમાં 15 હજારથી વધુ બાળકોનાં મોત

અમદાવાદઃ ગુજરાત સરકારે મંગળવારે વિધાનસભાને જણાવ્યું કે રાજ્યમાં નવજાત શિશુ દેખાળ એકમોમાં વિવિધ બીમારીઓને કારણે 15000થી વધુ બાળકોના મૃત્યુ થયાં છે. રાજ્યના લગભગ તમામ જિલ્લમાં સ્થાપિત નવજાત શિશુ દેખભાળ એકમોમાં આ મોત થયાં છે. પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલોના જવાબમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં 2018 અને 2019 દરમિયાન આવા એકમોમાં ભરતી થયેલ 1.06 લાખ શિશુઓમાંથી 15013 શિશુઓના ઈલાજ દરમિયાન મૃત્યુ થયાં છે. નીતિન પટેલ સ્વાસ્થ્ય વિભાગ પણ સંભાળે છે.

15000 બાળકોના મોત

15000 બાળકોના મોત

પોતાના લેખિત જવાબમાં નીતિન પટેલે કહ્યું કે આ 1.06 લાખ બાળકોમાંથી 71774 સિવિલ હોસ્પિટલમાં જન્મ્યા હતા અને બાદમાં ઈલાજ માટે નવજાત શિશુ દેખભાળ એકમોમાં લાવવામાં આવ્યાં હતાં. મંત્રીએ કહ્યું કે અન્ય હોસ્પિટલોમાં જન્મનાર 34727 બાળકોને પણ બાદમાં આ દેખભાળ એકમોમાં લાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં સૌથી વધુ મોત

અમદાવાદમાં સૌથી વધુ મોત

નીતિન પટેલે કહ્યું કે સૌથી વધુ બાળકોના મોત ક્રમશઃ અમદાવાદ (4322), વડોદરા (2,362) અને સુરત (1,986)માં થયાં. નીતિન પટેલે નવજાત બાળકોના દેખભાળ એકમોમાં સુવિધાઓમાં સુધારા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પગલાંઓને પણ સૂચીબદ્ધ કર્યા.

નીતિન પટેલે જવાબ આપ્યો

નીતિન પટેલે જવાબ આપ્યો

આ ઉપાયોમાં બાળરોગ વિશેષજ્ઞો અને ચિકિત્સા અધિકારીઓની નિયુક્તિને પ્રાથમિકતા આપવી, ડૉક્ટર્સ અને નર્સિંગ કર્મચારીઓ માટે વિશેષ પ્રશિક્ષણ અને આ એકમોમાં ઉપકરણો અને અન્ય આવશ્યક વસ્તુઓની પર્યાપ્ત આપૂર્તિ બનાવી રાખવી સામેલ હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X