સુરતની એક મિલમાં ભયાનક આગ, 3 ગંભીર, 35 થી વધુ ઘાયલ
ગુજરાતના સુરતમાં પાંડેસરા વિસ્તારમાં એક ડાઈંગ મિલના ત્રીજા માળે આગ લાગી ગઈ. આ આગમાં લગભગ 35 થી વધુ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે.
ગુજરાતના સુરતમાં પાંડેસરા વિસ્તારમાં એક ડાઈંગ મિલના ત્રીજા માળે આગ લાગી ગઈ. આ આગમાં લગભગ 35 થી વધુ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની ટીમ ઘાયલોનો ઈલાજ કરી રહી છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે ત્રીજા માળે સ્લેબ તૂટ્યા બાદ મિલમાં આગ લાગી ગઈ. સ્લેબ તૂટવાથી ઓઈલ પાઈપમાં લીકેજ થયુ જેના કારણે આગ લાગી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે.
આગ સ્લેબ તૂટવાને કારણે લાગી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે આ સ્લેબ શેના કારણે તૂટ્યો. આ મામલે હજુ વધુ જાણકારી મળી નથી.
More than 35 labourers were injured after slab of the third floor of a dyeing mill fell on them in #Surat's Pandesara. Fire broke out in the mill subsequently due to leakage in oil pipe caused by the mishap. Injured admitted to hospital #Gujarat pic.twitter.com/cJYBkBycvf
— ANI (@ANI) June 9, 2018