હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર થયો
હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ વિસનગર કોર્ટે બિન જામીન પાત્ર વોરંટ જાહેર કર્યો છે. મહેસાણામાં ભાજપના વિધાયકના કાર્યાલયની તોડફોડ મામલે આ કેસ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર વધુ એક મુશ્કેલી આવી ગઇ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે મહેસાણાના વિસનગર સેશન કોર્ટે સતત ત્રણ તારીખો સુધી ગેરહાજર રહેવા મામલે હાર્દિક પટેલ અને અન્ય 18 લોકો વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કર્યો છે. સાથે જ આ મામલે સરદાર પટેલ ગ્રુપ એસપીજીના લાલજી પટેલ વિરુદ્ધ પણ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જુલાઇ 2015માં વિસનગરમાં પાટીદારોએ આરક્ષણની માંગને લઇને ભાજપના વિધાયકના કાર્યલયની તોડફોડ કરી હતી. અને વાહનોની આગ ચાંપી કરી હતી. તે મામલે તેમની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ જ્યાં તાજ હોટલમાં સીસીટીવી ફૂટેજ સામે આવતા હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે ત્યાં જ હવે આ વોરંટ જાહેર થતા આવનારા સમયમાં તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે.