અમદાવાદ પોલીસ એક લાખ રિક્ષા ચાલકોની નવી ઓળખ કેવી રીતે આપશે?
અમદાવાદ, 20 ઓગસ્ટ : થોડા મહિનાઓ બાદ આપ અમદાવાદના આંગણે પધારવાના હોવ અને આપને અમદાવાદી રિક્ષાવાળાઓનું વર્તન અને તેમનો લૂક અલગ લાગે તો આશ્ચર્ય પામશો નહીં. કારણ કે હવે અમદાવાદના રિક્ષાવાળાઓની ઓળખ બદલાવા જઇ રહી છે. આ પ્રયાસ અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
આપને થતું હશે કે બીજા બધા કામ છોડીને અમદાવાદ પોલીસને રિક્ષાવાળાઓની ઓળખ બદલવામાં શું રસ પડ્યો હશે? તો આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક અમદાવાદી રિક્ષાવાળાઓની કાળી કરતૂતને પગલે અંદાજે 1 લાખ રિક્ષાવાળાઓને કાળી ટીલી ચોંટી છે.
અમદાવાદ પોલીસના ચોપડે શટલ રિક્ષામાં મુસાફરોને લૂંટી જવાના તેમજ રિક્ષાઓમાં ગોરખધંધાનું પ્રમાણ વધ્યું હોવાના કિસ્સાઓ રેડ લાઇટ સુધી પહોંચતા જ અમદાવાદ પોલીસ એલર્ટ બની ગઇ છે. આ માટે તેમણે અમદાવાદી રિક્ષાવાળાઓની સાફ-સુથરી ઓળખ પાછી અપાવવાનો પ્રયાસો કરવાનો નિર્ણય લીધો છે.
આઇ-કાર્ડ ફરજિયાત બનાવાશે
અમદાવાદના
એક
લાખ
ઓટો
રિક્ષા
ચાલકો
પાસે
ડ્રાઈવિંગ
લાઈસન્સ
અને
બેઝ
હોય
છે.
આ
લાઈસન્સ
અને
બેઝ
RTO
આપે
છે.
રિક્ષામાં
મુસાફરોને
લૂંટવાના
અને
ગેરકાયદેસર
કામોનું
પ્રમાણ
વધવાની
ફરિયાદથી
પોલીસે
ડેટાબેન્ક
તૈયાર
કરવા
માટે
રિક્ષાચાલકો
માટે
આઈ-કાર્ડ
અને
ડ્રેસ
કોડ
ફરજિયાત
બનાવવાનું
નક્કી
કર્યું
છે.
ઉપરાંત
બેઝ
અને
ડ્રાઈવિંગ
લાઈસન્સ
વગરની
રિક્ષાઓ
સામે
કડક
કાર્યવાહી
કરવામાં
આવશે.
ઓટો રિક્ષા બનશે 'ઓર્ગેનાઇઝ બિઝનેસ'
અમદાવાદમાં
રિક્ષા
ચાલકો
દ્વારા
મુસાફરોને
લૂંટવામાં
આવે
ત્યારે
મુસાફર
પાસે
ઓટો
રિક્ષાનો
નંબર
હોય
તો
પણ
ચાલક
સુધી
પહોંચવાનું
કામ
પોલીસ
માટે
મુશ્કેલ
બને
છે.
અંદાજે
એક
લાખ
રિક્ષાઓમાંથી
કયા
ચાલકે
લૂંટ
ચલાવી
હશે
તેનો
તાગ
મેળવતા
ખાસ્સો
સમય
વિતી
જાય
છે.
આ
સંજોગોમાં
અમદાવાદના
રિક્ષાચાલકોની
ડેટા
બેન્ક
તૈયાર
કરીને
'ઓર્ગેનાઇઝ
બિઝનેસ'
બનાવવાની
દિશામાં
પોલીસ
વિચારી
રહી
છે.
અમદાવાદમાં
ઓટો
રિક્ષાચાલકોના
અલગ
અલગ
યુનિયન
છે
પણ
સંગઠિત
નહીં
હોવાથી
પોલીસ
તેમને
સંગઠિત
કરવા
માંગે
છે.
રિક્ષાવાળાઓ માટે ડ્રેસ કોડ
અમદાવાદમાં
રિક્ષાચાલકોની
ઓળખ
માટે
ડ્રેસ
કોડ
અમલી
બનાવવાનું
વિચારવામાં
આવ્યું
છે.
આ
મુદ્દે
રિક્ષા
ચાલક
યુનિયનો
સાથે
પ્રાથમિક
વાતચિત
થઈ
ચૂકી
છે.
આ
માટે
રિક્ષાચાલકો
માટે
ચોક્કસ
રંગના
શર્ટનો
ડ્રેસ
અથવા
તો
જેકેટની
ડિઝાઈન
તૈયાર
કરાશે.
રિક્ષામાં હેલ્પલાઇન સ્ટીકર્સ ફરજિયાત બનાવાશે
પોલીસ
રિક્ષાચાલકોનું
રજીસ્ટ્રેશન
કરી
આઈ-કાર્ડ
આપવા
ઉપરાંત
રિક્ષાઓમાં
ચાલકના
ફોટોગ્રાફસ,
રજીસ્ટ્રેશન
નંબર,
લાઈસન્સ
નંબર,
ચાલકનો
મોબાઈલ
ઉપરાંત
પોલીસ
કન્ટ્રોલ
રૂમ
અને
ટ્રાફિક
પોલીસના
'હેલ્પલાઇન'
નંબર્સ
સાથેના
સ્ટીકર
મુસાફર
જોઈ
શકે
તે
રીતે
લગાવવા
ફરજિયાત
બનાવાશે.
ભાડેથી
અપાતી
રીક્ષામાં
બે-ત્રણ
જેટલા
ચાલક
હોય
તો
તેની
વિગતો
સાથેના
સ્ટીકર
બનાવાશે.
આ
અભિયાનને
'સુરક્ષા
સેતુ'
નામ
આપવામાં
આવ્યું
છે.
50 ટકા ચાલકો પાસે બેઝ નથી
અમદાવાદમાં
ફરતી
એક
લાખ
જેટલી
રિક્ષાઓમાંથી
20,000
જેટલી
રિક્ષાઓ
'શટલ'
તરીકે
દોડે
છે.
બેઝના
નિયમ
અનુસાર
ધોરણ
8
પાસ
હોય
તેવા
રિક્ષાચાલકો
લાઈસન્સ
મેળવે
તે
પછી
પોલીસ
વેરીફિકેશન
કરાવ્યા
બાદ
RTO
તરફથી
રિક્ષાચાલકોને
બેઝ
આપવામાં
આવે
છે.
અમદાવાદમાં
50
ટકા
રિક્ષાચાલકો
બેઝ
વગર
જ
રિક્ષા
ચલાવે
છે.
આ
બદલ
RTO
અને
ટ્રાફિક
પોલીસ
રિક્ષાઓ
ડીટેઈન
કરી
શકે
છે.
રિક્ષાઓમાં GPSવાળા મીટર લગાવાશે
અમદાવાદ
શહેર
ટ્રાફિક
પોલીસ
એક
લાખ
રિક્ષાચાલકોની
ડેટાબેન્ક
તૈયાર
કરીને
આવનારાં
દિવસોમાં
GPS
સિસ્ટમ
ધરાવતા
મીટર
રિક્ષાઓમાં
લગાવવા
માંગે
છે.
મુંબઈની
જેમ
મુસાફર
પરિવહનના
વાહનોમાં
ખાસ
એપ્લીકેશન
અને
GPS
સિસ્ટમ
લગાવીને
વાહનને
પોલીસ
સાથે
જોડવાનું
આયોજન
છે.
આ
ઉપરાંત
રિક્ષાચાલકો
અને
તેમના
પરિવારનો
ગ્રુપ
વીમો,
તેમના
બાળકોનો
અભ્યાસ
સહિતની
યોજના
વિચારણા
હેઠળ
છે.