71માં બંધારણ દિવસ સમારંભમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી પર કાલથી આવશે રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી
ગાંધીનગરઃ દેશના 71માં બંધારણ દિવસના પ્રસંગે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સરદાર પટેલ સ્ટેચ્યુ પર 25-26 નવેમ્બરને વિશેષ આયોજન કરવામાં આવશે. આ આયોજનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યસભાના સભાપતિ માનનીય વેંકૈયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે હસ્તીઓ ભાગ લેશે. આ વિશે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં માહિતી આપી. ઓમ બિરલાએ કહ્યુ કે, '26 નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 1949માં આ દિવસે ભારતના બંધારણને અંગીકૃત કરવામાં આવ્યુ હતુ. આ વર્ષે આપણા દેશમાં બંધારણને અંગીકૃત કરાયાનુ 71મુ વર્ષ મનાવવામાં આવી રહ્યુ છે.'
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી બધા જોડાશે
લોકસભા સ્પીકરે કહ્યુ કે કાલે એટલે કે 25 તારીખે નર્મદા નદીના તટે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિશાળ મૂર્તિ સમક્ષ રાષ્ટ્રપતિની આગેવાનીમાં સંમેલન શરૂ થશે. આ આપણુ 80મુ સંમેલન છે પરંતુ આ શતાબ્દી સમારંભ તરીકે મનાવશે. બિરલાએ આગળ જણાવ્યુ કે, 'આપણે બધા 71માં બંધારણ દિવસ માટે યોજાનાર સમારંભના સમાપન પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવનાનો સંકલ્પ લેશે.' તેમણે કહ્યુ કે આ સમારંભ બે દિવસીય છે કે જે 25-26 નવેમ્બરના રોજ રાખવામાં આવ્યો છે. 26 નવેમ્બરે તેનો છેલ્લો દિવસ રહેશે.
CM ઠાકરેઃ મહારાષ્ટ્રે વેક્સીન વિતરણ માટે રચી ટાસ્ક ફોર્સ