Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય માછીમારોનુ સતત અપહરણ કરી રહ્યુ છે પાક, હવે BSFની કાર્યવાહી, 11 પાકિસ્તાની બોટ પકડી

આજે ભારતીય સુરક્ષાબળોએ પણ ઘણા પાકિસ્તાની માછીમારોને પકડી લીધા છે.

કચ્છઃ પાકિસ્તાનીઓ દ્વારા ભારતીય માછીમારોનુ સતત અપહરણ કરવામાં આવી રહ્યુ છે. એક દિવસ પહેલા પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીઓ સમુદ્રમાં માછલી પકડતા ઘણા માછીમારોને કેદ કરી લીધા. ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે કે આજે ભારતીય સુરક્ષાબળોએ પણ ઘણા પાકિસ્તાની માછીમારોને પકડી લીધા છે. બૉર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ) તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે.

હરામીનાળામાં ભારતીય સુરક્ષાબળોની કાર્યવાહી

હરામીનાળામાં ભારતીય સુરક્ષાબળોની કાર્યવાહી

બૉર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના અધિકારીઓએ જણાવ્યુ કે ગુજરાતના હરામીનાળામાં કાલે પાકિસ્તાની માછલી પકડતી નૌકાઓ જોવામાં આવી. ત્યાંના માછીમારોની ઘૂસણખોરી વિશે જાણ થતાં ગુજરાત ફ્રંટિયર, બીએસએફે તત્કાલ 300 વર્ગ કિમીમાં ફેલાયેલા વિસ્તારમાં મોટાપાયે સર્ચ અભિયાન શરુ કર્યુ. જેના પરિણામ સ્વરુપ અત્યાર સુધી 11 પાકિસ્તાની માછલી પકડતી નૌકાઓને જપ્ત કરી લેવામાં આવી છે.

પાકે 10 દિવસની અંદર 3 વાર ભારતીયોને પકડ્યા

પાકે 10 દિવસની અંદર 3 વાર ભારતીયોને પકડ્યા

ઉલ્લેખનીય છે કે ગયા જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં પાકિસ્તાની સુરક્ષાબળોએ ગુજરાતમાંથી માછલી પકડવા ગયેલા ભારતીય માછીમારોને કેદ કરી લીધા હતા. ત્યારબાદ તેમને પાકિસ્તાનની જેલોમાં લઈ જવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે 10 દિવસની અંદર આવુ 3 વાર થયુ જ્યારે ભારતીય માછીમારોને પાકિસ્તાની સુરક્ષાબળોએ પકડ્યા. ભારતીય માછીમાર સંઘના પદાધિકારીઓનુ કહેવુ છે કે એ પાકિસ્તાનીઓ દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતના માછીમારોની સુરક્ષિત વાપસી માટે સરકારને આજીજી કરી રહ્યા છે.

માછીમારો મુક્ત તો થાય છે પરંતુ સામાન પાછો નથી મળતો

માછીમારો મુક્ત તો થાય છે પરંતુ સામાન પાછો નથી મળતો

સામાન્ય રીતે બંને દેશો દ્વારા એકબીજાના માછીમારોને એક પ્રોટોકૉલ હેઠળ પાછા આપવામાં આવે છે. આ સમય આઝાદીની વર્ષગાંઠ પર આવે છે. હાલમાં ગુજરાતમાં એક સ્થાનિક માછીમારના પરિવારજને કહ્યુ કે અમારા બંધુને પાકિસ્તાનીએ પકડી લીધો હતો અને કરાંચી લઈ ગયા. તેણે કહ્યુ કે હું માછીમારોની અસલી જિંદગી વિશે વાત કરનાર વ્યક્તિ છુ પરંતુ આપણે ચોક્કસપણે આનાથી સારુ કરી શકીએ છીએ. સામાન્ય માછીમારો, બંને દેશોના સૌથી ગરીબ પીડિત લોકો છે. સરકાર સમુદ્રી સીમાના મુદ્દાઓને ઉકેલી શકી નથી. એવામાં તેમને બંદી ના બનાવવા જોઈએ। અમુક વર્ષો બાદ માછીમારોની મુક્તિ તો થાય છે પરંતુ તેમની નૌકાઓ અને જરુરી સામાન જે સાથે હોય છે તેને પાછો આપવામાં નથી આવતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X