ઇશરત એન્કાઉન્ટર કેસ: સીબીઆઇએ પ્રદીપ જાડેજાની કરી પૂછપરછ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર: કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઇ)એ ગુજરાતના કાયદા પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા સાથે ઇશરત જહાં કહેવાતા નકલી એન્કાઉન્ટરમાં સોમવારે પૂછપરછ કરી.
સીબીઆઇ સૂત્રોએ ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને નોટિસ આપીને તેમને તેમની સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ગાંધીનગરમાં જાડેજા સાથે નવેમ્બર 2011માં થયેલી એક કથિત મુલાકાતના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી જે ઇશરત જહાં અને ત્રણ અન્યોના નકલી એન્કાઉન્ટરની 'તપાસમાં અડચણ નાખવા'ની રણનીતિ પર નિર્ણય માટે બોલાવવામાં આવી હતી.
એડવોકેટ જનરલ ત્રિવેદીના ખાનગી ચેમ્બરમાં થયેલી બેઠકમાં શામેલ વ્યક્તિઓમાં જીએલ સિંઘલ, સિંઘલના વકીલ મિત્ર રોહિત વર્મા, જીસી મુરમુ, એકે શર્મા, તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલ, પ્રદીપ જાડેજા, પૂર્વ મંત્રી અને હવે કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા ઇશરત મામલામાં અન્ય આરોપી તરૂણ બારોટનો સમાવેશ થાય છે.