જામનગરમાં આપઘાતનો પ્રયાસ કરનારી માતાના CCTV આવ્યા સામે
જામનગરના લાખોટા તળાવમાં એક મહિલાએ ઘરની કંકાસથી ત્રાસી બે બાળકો સાથે તળાવમાં પડતું મૂકતાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આ સમાચાર અંગે વધુ જાણો અહીં.
તણાવભરી જિંદગીમાં લોકો ધીરે ધીરે સંવેદનાહીન બનતા જાય છે. તેનું ઉદાહરણ ગુજરાતના જામનગર ખાતે જોવા મળ્યું હતું. ઉત્તરાણના તહેવાર અગાઉ જામનગરમાં એક માતાએ પોતાના બે બાળોકને લાખોટા તળાવમાં ફેંક્યા હતા. અને પોતે પણ તળાવમાં કૂદી પડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટવી ફૂટેજ સામે આવ્યા છે. જામનગર પાલિકા દ્વારા લાખોટા તળાવનું નવીનીકરણ કર્યા બાદ તેમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. સીસીટીવી મુજબ માતાએ બાળકોને પટકારીને નીચે ફેંક્યા હતા.
જેમાં જોવા મળ્યું હતું કે નિદર્યી માતાએ બે બાળકોને તળાવમાં ફેંકીને પોતે પણ તળાવમાં છલાંગ લગાવી હતી. જોકે આ ઘટનામાં સમય સૂચકતા અને સતર્કતાને પગલે બંને બાળકો અને માતાને બચાવી લેવામાં આવી હતી.અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે મહિલાનું પ્રાથમિક નિવેદન લીધા બાદ જણાવ્યુ હતું કે આ મહિલાને કૌટુંબિક કલેશના કારણે આવેશમાં આવીને આમ કર્યું હતુ. જોકે મહિલા પર બાળકોની હત્યા કરવાનો પ્રયાસનો ગુનો દાખલ થઈ શકે કે નહીં તે આગળની તાપસ દ્વારા જ જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું.