ગુજરાતના 4 વાર CM રહી ચૂકેલ કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીનુ નિધન
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવ સિંહ સોલંકીનુ નિધન થઈ ગયુ છે. તેઓ 94 વર્ષના હતા. રાજ્યના 4 વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ એક કોળી પરિવારમાં જન્મ્યા હતા. તેઓ ભારતના વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા હતા. માધવસિંહ સોલંકી પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની નજીક ગણાતા હતા.
માધવસિંહ સોલંકી ગુજરાતના કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક મેળવી હતી. 1980ના દશકમાં તેઓ પોતાની ખામ થિયરી માટે જાણીતા બન્યા હતા. મધ્યાહન ભોજનનો વિચાર પણ સૌથી પહેલા માધવસિંહ સોલંકીએ રજૂ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ટ્ટવિટમાં પીએમ મોદીએ કહ્યુ કે શ્રી માધવસિંહ સોલંકીજી એક દૂર્જેય નેતા હતા જેમણે દર્શકો સુધી ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. સમાજ પ્રત્યે તેમની સમૃ્દ્ધ સેવા માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છુ. તેમના પુત્ર ભરત સોલંકીજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. શાંતિ. રાજનીતિથી પરે શ્રી માધવસિંહ સોલંકીજીને વાંચવામાં મઝા આવી અને તે સંસ્કૃતિ માટે ભાવુક હતા. જ્યારે પણ તેમનો મળતો ત્યારે વાત કરતો, અમે પુસ્તકો વિશે ચર્ચા કરતા અને તે મને લેટેસ્ટ વાંચેલા પુસ્તક વિશે જણાવતા. હું હંમેશા અમારા વચ્ચે થયેલી વાતચીતને યાદ કરીશ.
Shri Madhavsinh Solanki Ji was a formidable leader, playing a key role in Gujarat politics for decades. He will be remembered for his rich service to society. Saddened by his demise. Spoke to his son, Bharat Solanki Ji and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 9, 2021
રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી કહ્યુ કે શ્રી માધવસિંહ સોલંકીના નિધનથી દુઃખી છુ. તેમણે કોંગ્રેસની વિચારધારાને મજબૂત કરવા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવામાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે હાર્દિક સંવેદના.
Saddened by the demise of Shri Madhavsinh Solanki.
— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2021
He will be remembered for his contribution in strengthening the Congress ideology & promoting social justice.
Heartfelt condolences to his family & friends.
મહારાષ્ટ્રઃ ભંડારાની હોસ્પિટલમાં લાગી આગ, 10 બાળકોના મોત