મહાગુજરાત આંદોલનના પ્રણેતાને વિજય રૂપાણીએ આપી ભાવાંજલિ
મહાગુજરાત આંદોલનના મુખ્ય અગ્રણી અને અનુભવી ગાંધીવાદી ઇન્દુલલ યાજ્ઞિક, જે ઈન્દુ ચચા તરીકે જાણીતા હતા.
1લી મે ગુજરાતના સ્થાપના દિવસ તરીકે મનાવાય છે. 1956 માં શરૂ કરાયેલા મહાગુજરાત આંદોલનના ફળ સ્વરૂપે 1960માં મહારાષ્ટ્રથી છૂટું પડી ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. આ અંદોલનના મુખ્ય પ્રણેતા અને પીઢ ગાંધીવાદી ઇન્દુલાલ યાજ્ઞિક, જેઓ ઇન્દુચાચા નામથી પણ ઓળખાય છે, તેમનો ગુજરાત રાજ્ય સ્થપનામાં બહુ મહત્વનો ફાળો છે. ઇન્દુચાચા મહાગુજરાત ચળવળ ચલાવવા ગામડે-ગામડે ફરતા. તેમના ખીસામાં ભોજન માટે તે ચણા ભરીને જતા અને ભૂખ લાગતૈા ચણા ખાઈને ગુજરાન ચલાવતા હતા. ઇન્દુચાચા સાદગીનું પ્રતિક હતા.

કોઈ પણ લાલચ વિના, તેમનો મુખ્ય ધ્યેય એક જ હતો, ગુજરાત રાજ્યની સ્થાપના. આજના યુવાઓ ગુજરાતના આ પ્રણેતા એટલે કે ઇન્દુચાચાને ભૂલી ગયા છે.
મહાગુજરાતની લડતના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવાંજલિ આપી... pic.twitter.com/Jlepmq7jiQ
— Vijay Rupani (@vijayrupanibjp) May 1, 2017
આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્દુચાચાની પ્રતિમા તેમજ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે 16 કરોડ જેટલા ખર્ચે બનેલ હોમગાર્ડ ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. 1000 જેટલા હોમગાર્ડ જવાનોએ માનવસાંકળ રચીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ હોમગાર્ડના જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કર્યા હતાં. સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધી હતી.

આ સાથે જ અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે શ્રવણ તીર્થ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાતના ધાર્મિક સ્થળ સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવા યાત્રાધામોને ગુજરાત એસટી નિગમ સર્વિસથી જોડવામાં આવ્યાં છે. શ્રાવણ તીર્થ યોજના મુજબ 45 કે તેથી વધુ સિનિયર સીટીઝનના સમૂહને યાત્રાધામના સ્થળે લઇ જવા પરત લાવવા માટે સરકાર દ્વારા એસટીબસના ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત રહેશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
