જાણો કેમ નવરાત્રીમાં અહીં પુરુષો સ્ત્રી બનીને ગરબા કરે છે!
અમદાવાદના શાહપુરમાં દર વર્ષે અનોખી નવરાત્રી થાય છે. અહીંના પ્રસિદ્ધ મંદિર શ્રી સદુમાતાના ચોકમાં પુરુષો નવરાત્રીની સાત-આઠમના દિવસે સ્ત્રીઓનો વેશ ધારણ કરે છે. સાડી, પહેરી, હાથમાં બંગડી પહેરી સંપૂર્ણ પણે એક સ્ત્રીની જેમ સજી ધજીને માતાજીની પૂજા અર્ચના કરે છે.
નોંધનીય છે કે મોટી સંખ્યામાં પુરુષો દર વર્ષે અહીં આવે છે. અને આ રીતે સ્ત્રીનો વેશ ધારણ કરીને જગ અંબેની ભક્તિ કરે છે. તેમના નામના ગરબા ધૂમે છે. અને સંપૂર્ણ પણે ભક્તિ ભાવથી માંની પૂજા અર્ચના કરે છે. ત્યારે તેવું તો શું કારણ છે કે પુરુષો સ્ત્રીઓનો આ વેશ ધારણ કરવો પડ્યો. કેમ અહીં આવી અનોખી નવરાત્રી થાય છે. તેની પાછળ શું ભવ્ય ઇતિહાસ છે તે વિષે રસપ્રદ માહિતી જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.
માં સદુમાતા
આ છે અમદાવાદના શાહપુરમાં આવેલું પ્રસિદ્ધ શ્રી સદુમાતાનું મંદિર. જેના આંગણામાં આ કાર્યક્રમનું આયોજન થાય છે.
પુરુષો બન્યા સ્ત્રી
અહીં સારી સારી જગ્યા નોકરી કરતા અને મોર્ડન કહેવાતા પુરુષો પણ માતાજી માટેની તેમની શ્રદ્ધા અને સાચી ભક્તિ માટે સ્ત્રી વેશ ધારણ કરે છે.
પુરુષો બન્યા સ્ત્રીઓ
ફોટોમાં તમે જોઇ શકો છો કે પુરુષો સાડીઓ પહેરી છે અને માથે માતાજીનું તિલક પણ લગાવ્યું છે.
પુરુષો બન્યા સ્ત્રીઓ
દર નવરાત્રીએ મોટી સંખ્યામાં પુરુષો અહીં આ રીતે સ્ત્રીઓનો વેશધારણ કરી ગરબા કરે છે. અને માતાજીની પૂજા અર્ચના કરે છે.
શું છે કારણ
કહેવાય છે કે અહીં જ્યારે લોકો માનતા માને છે અને તે માનતા ફળે છે ત્યારે માનતા પૂરી કરવાના ભાગરૂપે તે આ રીતે સ્ત્રી વેશ ધારણ કરી ગરબા કરે છે.
માનતા માટે બન્યા સ્ત્રી
વળી આ પુરુષોનું કહેવું છે કે માતાજી તેમના ભક્તોની પ્રાર્થના જરૂરથી સાંભળે છે. અને માં માટે તેમનો આ જ આદર ભાવ અને પ્રેમ બતાવા માટે તે આવો સ્ત્રી વેશ ધારણ કરે છે.