વિદ્યાર્થીઓ છે રોષમાં કારણ-પી.જી મેડીકલના પ્રવેશ નિયમો
પી.જી.મેડિકલના પ્રવેશ નિયમો અંગે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે તેને લઇને વિદ્યાર્થીઓ સમતે વાલીઓ રોષે ભરાય છે. શું આખો મામલો જાણો અહીં.
પી.જી મેડિલકના પ્રવેશ નિયમો અંગે રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે. જે મુજબ પી.જી. ડિગ્રીની 25 ટકા બેઠકો ઈન સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખવા આવશે. આ જાહેરાત બાદ જ મેડિકલના વિદ્યાર્થી ઓ આ વાતનો વિરોધ કરી રહ્યા છે. નોંધનીય છે કે એમસીઆઈના નિયમ મુજબ પી.જી. ડિપ્લોમાની સીટો પર 50 ટકા સીટો ઈન સર્વિસ ડોક્ટરોને આપવામાં આવે છે.પરંતુ એમસીઆઈ દ્રારા પી.જી.ડિગ્રીની સીટો પર ઈન સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખવાની કોઈ જોગવાઈ નથી. ઉલ્લેખનીય છે કે પી.જી.ની કુલ બેઠકો માંથી 50 ટકા સીટો ઓલ ઈન્ડીયા ક્વોટામાં જતી રહે છે. ત્યારે વિદ્યાર્થીઓનો વિરોધ તે વાત પર છે કે બાકીની 50 સીટોમાંથી પણ જો તમે 25 ટકા સીટો ઈન સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખો તો તેમને ક્યાં જવું.

વળી તેમાં પણ એસટી-ઓબીસી બાદ જનરલ સીટો ખાલી 10 ટકા જ બાકી રહે છે. જે અંગે આજે બી.જે. મેડીકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કરીને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની માંગ છે કે કોમન કાઉન્સેલીંગમાં સરકાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનો પ્રેફરેન્સ આપે. વધુમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સરકારે હાઈકોર્ટના ચુકાદાની ઉપરવટ જઈને યુનિવર્સિટીના પ્રેફરેન્સને હટાવી દીધો છે. ત્યારે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ આ મામલે ફરી એક વાર હાઇકોર્ટનો દરવાજો ખખડવાશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
