For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે બાલ ઠાકરેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે મોદી

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 18 નવેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જેમને પોતાના માર્ગદર્શક ગણતા હતા તેવા શિવસેનાના સ્થાપક અને પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મુંબઇ જવાના છે.

રવિવારે સવારે લગભગ 10 વાગ્યા બાદ તેઓ મુંબઇમાં ઠાકરે પરિવારને મળવાના છે અને તેમને સાંત્વના અને દિલસોજી પાઠવવાના છે.

ઉલ્લેખનીય છે કે બાળા સાહેબ ઠાકરેનું હૃદય રોગનો હુમલો થવાથી નિધન થયું છે. તે 86 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેમણે શનિવારે 17 નવેમ્બર, 2012ના રોજ બપોરે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમને શ્રધ્ધાંજલિ આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશે એક સ્નેહી વ્યક્તિ ગુમાવ્યા છે, પરંતુ મે એક માર્ગદર્શક, સ્વનજ ગુમાવ્યા છે. મારા પ્રત્યે તેમને અપાર સ્નેહ રહ્યો છે. હું બાળા સાહેબને આદરપૂર્વક અંજલિ અર્પુ છું.

English summary
Narendra Modi will visit Mumbai to attend Cremation of Bal Thakarey today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X