For Daily Alerts
સંઘ સુપ્રીમો મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે
મળતી માહિતી મુજબ અર્થ વિદ્યાલયના પરમાત્માનંદજી દ્વારા યોજાયેલા આચાર્ય મહાસંમેલનમાં ચાર સંપ્રદાયના આચાર્યપીઠના વડા હાજરી આપી રહ્યા છે. આ વાર્ષિક મહાસંમેલન સંપૂર્ણ બિનરાજકીય છે.
અને દેશમાં વધતી જતા હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિ પર થઇ રહેલા અત્યાચારો, ગૌવંશ સુરક્ષા, ગંગા શુધ્ધિકરણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મોહન ભાગવત ચેન્નાઇથી અમદાવાદ આવીને સંઘ કાર્યાલય હેગડેવાર ભવન પણ જશે. જ્યાં સંઘના અગ્રણી બિમાર દામલેજીના ખબરઅંતર પુછશે. આ સંમેલનને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવિણ તોગડિયા પણ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે.
Comments
English summary
Sangh Supremo Mohan Bhagawat visit to Ahmedabad.
Story first published: Wednesday, November 7, 2012, 11:18 [IST]