For Quick Alerts
For Daily Alerts
સંઘ સુપ્રીમો મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે
મળતી માહિતી મુજબ અર્થ વિદ્યાલયના પરમાત્માનંદજી દ્વારા યોજાયેલા આચાર્ય મહાસંમેલનમાં ચાર સંપ્રદાયના આચાર્યપીઠના વડા હાજરી આપી રહ્યા છે. આ વાર્ષિક મહાસંમેલન સંપૂર્ણ બિનરાજકીય છે.
અને દેશમાં વધતી જતા હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિ પર થઇ રહેલા અત્યાચારો, ગૌવંશ સુરક્ષા, ગંગા શુધ્ધિકરણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મોહન ભાગવત ચેન્નાઇથી અમદાવાદ આવીને સંઘ કાર્યાલય હેગડેવાર ભવન પણ જશે. જ્યાં સંઘના અગ્રણી બિમાર દામલેજીના ખબરઅંતર પુછશે. આ સંમેલનને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવિણ તોગડિયા પણ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે.
Comments
English summary
Sangh Supremo Mohan Bhagawat visit to Ahmedabad.
Story first published: Wednesday, November 7, 2012, 11:18 [IST]