For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંઘ સુપ્રીમો મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mohan-bhagawat
અમદાવાદ, 7 નવેમ્બર: છારોડી ગુરુકુળ ખાતે મળેલા મહાસંમેલનમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આજે બુધવારે અમદાવાદ આવશે. સંઘની રાષ્ટ્રીય કાર્યકારીણી ચેન્નાઇ ખાતે મંગળવારે સમાપ્ત થઇ છે હોવાથી ત્યાંથી જ સીધા અમદાવાદ આવવાના હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ અર્થ વિદ્યાલયના પરમાત્માનંદજી દ્વારા યોજાયેલા આચાર્ય મહાસંમેલનમાં ચાર સંપ્રદાયના આચાર્યપીઠના વડા હાજરી આપી રહ્યા છે. આ વાર્ષિક મહાસંમેલન સંપૂર્ણ બિનરાજકીય છે.

અને દેશમાં વધતી જતા હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિ પર થઇ રહેલા અત્યાચારો, ગૌવંશ સુરક્ષા, ગંગા શુધ્ધિકરણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મોહન ભાગવત ચેન્નાઇથી અમદાવાદ આવીને સંઘ કાર્યાલય હેગડેવાર ભવન પણ જશે. જ્યાં સંઘના અગ્રણી બિમાર દામલેજીના ખબરઅંતર પુછશે. આ સંમેલનને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવિણ તોગડિયા પણ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે.

English summary
Sangh Supremo Mohan Bhagawat visit to Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X