For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાંઇનું હેલિકોપ્ટર અમદાવાદમાં ક્રેશ, તમામનો બચાવ

|
Google Oneindia Gujarati News

narayan sai
અમદાવાદ, 14 ઑગસ્ટ : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. જેના પગલે આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ હેલિકોપ્ટરમાં આશારામના પુત્ર નારાયણ સાંઇ અને સાધ્વીઓ હતા. જોકે આ ઘટનામાં તમામનો ચમત્કારિક બચાવ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ અને તેમના સાધકો અને સાધ્વીઓ પોતાના આ પ્રાઇવેટ ચોપરમાં બેસીને ગોધરાથી આસારામ બાપુના આશ્રમ તરફ જઇ રહ્યું હતું. તેમનું ચોપર આશ્રમ પહોંચવા જ આવ્યા હતા પરંતુ અચાનક તેમના ચોપરમાં યાંત્રિક ખામી સર્જાવાના કારણે પાયલટે તેને ગોમતીપુરમાં આવેલા એક કબ્રસ્તાનમાં ક્રેશ કરાવ્યું.

જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થવા નથી પામી. આશ્રમના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગોમતીપુર ફાયર બ્રિગેડના જવાનો અને ગોમતીપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટના અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 ઓગસ્ટ 2012ના રોજ આશારામ બાપુનું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું અને તેમાં પણ તેમનો આબાદ બચાવ થયો હતો અને આજે 14 ઓગસ્ટ 2013માં તેમના પુત્ર સાથે આ ઘટના બની છતાં બંનેનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. આવી દુર્ઘટના પહેલીવાર બની હશે કે અમદાવાદના ગીચ વસ્તી ધરાવતા ગોમતીપુર વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોય.

English summary
Narayan Sai's chopper crashed in Ahmedabad's Gomtipur area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X