નારાયણ સાંઇનું હેલિકોપ્ટર અમદાવાદમાં ક્રેશ, તમામનો બચાવ
અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ અને તેમના સાધકો અને સાધ્વીઓ પોતાના આ પ્રાઇવેટ ચોપરમાં બેસીને ગોધરાથી આસારામ બાપુના આશ્રમ તરફ જઇ રહ્યું હતું. તેમનું ચોપર આશ્રમ પહોંચવા જ આવ્યા હતા પરંતુ અચાનક તેમના ચોપરમાં યાંત્રિક ખામી સર્જાવાના કારણે પાયલટે તેને ગોમતીપુરમાં આવેલા એક કબ્રસ્તાનમાં ક્રેશ કરાવ્યું.
જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થવા નથી પામી. આશ્રમના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગોમતીપુર ફાયર બ્રિગેડના જવાનો અને ગોમતીપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટના અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 ઓગસ્ટ 2012ના રોજ આશારામ બાપુનું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું અને તેમાં પણ તેમનો આબાદ બચાવ થયો હતો અને આજે 14 ઓગસ્ટ 2013માં તેમના પુત્ર સાથે આ ઘટના બની છતાં બંનેનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. આવી દુર્ઘટના પહેલીવાર બની હશે કે અમદાવાદના ગીચ વસ્તી ધરાવતા ગોમતીપુર વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોય.