જેલમાં હોવા છતાં દર વર્ષે આસારામ બાપુની સંપત્તિમાં થાય છે કરોડોનો વધારો!
પોતાને સંત કહેનાર આસારામ બાપુ હાલ બાળાત્કારના આરોપ હેઠળ જેલની હવા ખાઇ રહ્યા છે. પણ તેમ જતાં તેમની સંપત્તિ દર વર્ષે કરોડોનો વધારો થઇ રહ્યો છે. સગીરા સાથે રેપના આરોપમાં બંધ આસારામ જેલમાં હોવા છતાં કેવી રીતે કરોડોની કમાણી કરી રહ્યા છે તે વાત આશ્ચર્યજનક છે.
જો કે આસારામની સંપત્તિ થઇ રહેલા આ વધારાનો ખુલાસ આયકર વિભાગના ઇનવેસ્ટિગેશન વિંગની તપાસમાં બહાર આવ્યો છે. જે મુજબ આસારામની સંપત્તિમાં પાછલા કેટલા સમયમાં કરોડો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે
ત્યારે આસારામ પાસે આટલો રૂપિયા ક્યાંથી આવે છે અને કેવી રીતે આસારામ તે રૂપિયામાંથી કરોડો રૂપિયાનો નફો કમાય છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
શું છે હકીકત?
આયકર વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે આસારામના આશ્રમમાં ભક્તોથી કેસમાં દાન લેવામાં આવે છે.
વેપારીઓ
એટલું જ નહીં લુધિયાણા અને અન્ય વિસ્તારોથી જોડાયેલા વેપારી પાસે પણ દાન રાશિ લેવામાં આવે છે જેનો ઉપયોગ આસારામના વેપારમાં થાય છે.
કોઇ રેકોર્ડ નહીં
જો કે નોંધનીય વાત તો એ છે કે આશ્રમમાં આવી કોઇ પણ રાશિનો કોઇ રેકોર્ડ નથી બતાવામાં આવ્યો.
તપાસ ટીમ ઇન્દોર ગઇ
આ મામલામાં હાલ તપાસ ટીમ ઇન્દોર પહોંચી છે. અને તેમણે ત્યાં વધુ તપાસ હાથ ધરી છે.
300 કરોડ વ્યાજ!
વધુમાં જાણવા મળ્યું છે કે દર વર્ષે લગભગ 300 કરોડ રૂપિયા તો બાપુ વ્યાજમાંથી કમાય છે.
જેલમાં બાપુને છે મઝા!
મીડિયા રિપોર્ટ મુજબ જોધપુર સેન્ટ્રલ જેલથી બહાર નીકળેલા એક મંત્રીએ ખુલાસો આપ્યો હતો કે આસારામને જેલમાં ઝલસા કરે છે.
ખુલાસો
જેલની નીકળેલા મંત્રીના કહેવા મુજબ આસારામ બાપુને મુલાયમ અને આરામદાયક ગાદલા પર સૂવા મળે છે અને તેમના કપડા લોન્ડ્રીમાં ધોવા જાય છે. વળી તેમને બહાર ફરવાની પણ છૂટ છે.
જેલમાં આસારામ કરાવે છે મસાજ!
એટલું જ નહીં મંત્રીનું કહેવું હતું કે જેલમાં રોજ આસારામ 30 થી 40 મિનિટ ફૂલ બોડી સમાજ કરાવે છે. અને તેમના સેવાદરોમાંથી કોઇ આવી રોજ તેમને મસાજ કરી આપે છે.
વિશેષ ટ્રીટમેન્ટ
તેમણે કહ્યું કે આશારામના માથામાં એક મશીનની મદદથી વિશેષ તરલ પદાર્થ નાખવામાં આવે છે. અને આ રીતે તેમને ખાસ ટ્રીટમેન્ટ જેલમાં જ અપાય છે
નાસ્તામાં કાજૂ, બદામ
એટલું જ નહીં આસારામ નાસ્તામાં કાજૂ અને બદામ સાથે ફ્રૂટ જ્યૂસ પણ મળે છે.