તસ્વીરો: ગુજરાતમાં ભડકી હિંસા લગાવ્યો કર્ફ્યું, આંદોલનની આખી કહાની
ગુજરાતમાં પટેલ આંદોલન ના નામ પર હાર્દિક પટેલે જે આદોલન ચાલુ કર્યું હતું તે હવે દિવસે ને દિવસે મોટું સ્વરૂપ લઇ રહ્યું છે. આ આંદોલનનો હજુ સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી પરતું દિવસે ને દિવસે આંદોલન હિંસક બનતું જઈ રહ્યું છે.
પાટીદાર અને સરકાર બંનેમાંથી કોઈ પણ નમતું જોખવા માટે તૈયાર નથી ગઈકાલ ના પાટીદાર ના જેલ ભરો આંદોલન હિંસક બન્યું હતું. રાજ્ય સરકાર તરફથી આ કાર્યક્રમને મંજૂરી નહતી મળી પણ તેમ છતાં મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા પહોંચ્યા હતા. કન્વીનર લાલજી પટેલ ઇજાગ્રસ્ત થતા લોકોનો આક્રોશ વધ્યો હતો.
ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ ના કાર્યાલયમાં પટેલોએ ખુબ જ તોડફોડ કરી હતી અને 3 બાઈકને આગ ચાંપી હતી. હિંસા ભડક્યા બાદ આખા મહેસાણામાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો હતો.
તો જુઓ ગુજરાતમાં થયેલા હિંસાની તસ્વીરો..
પટેલ આંદોલન
હાર્દિક પટેલ ને જેલ માં થી બહાર ના આવવા દેતા પટેલો એ જેલ ભરો આંદોલન ચલાવ્યું.
પટેલ આંદોલન
આ આદોલન મહેસાણામાં રાખવા માં આવ્યું હતું. પરંતુ સરકાર તરફથી આ આદોલનને કોઈ જ મંજુરી આપવામાં આવી ના હતી અને ફરી એક વાર પોલીસ અને પાટીદારો આમને સામને આવ્યા હતા.
પટેલ આંદોલન
આદોલન દરમિયાન કન્વીનર લાલજી પટેલને ગંભીર ઈજા પહોચી હતી જેનાથી મામલો વધારે હિંસક બન્યો. મહેસાણામાં તરત જ નેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.
પટેલ આંદોલન
એસપીજીએ સોમવારે ગુજરાત બંધનું એલાન કર્યું છે. વધુમાં લાલજી પટેલે પોલીસને પોતાની ઇજા માટે જવાબદાર ગણાવ્યા છે.
પટેલ આંદોલન
ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ ના કાર્યાલયમાં પટેલોએ ખુબ જ તોડફોડ કરી હતી અને 3 બાઈકને આગ ચાંપી હતી.
પટેલ આંદોલન
પોલીસે અત્યાર સુધીમાં 435 લોકોની ધરપકડ કરી છે.
પટેલ આંદોલન
પોલિસે પણ સુરત અને મહેસાણામાં સ્થિતી પર કાબુ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા.
પટેલ આંદોલન
નીતિન પટેલે પાટીદારોને શાંતિ બનાવી રાખવા માટેની અપીલ કરી છે.
પટેલ આંદોલન
મુખ્યમંત્રી આનંદી બેન આ મામલે કહ્યું છે "આવા આંદોલન તો ચાલ્યા કરે અને તો લોકોની સેવા કરવાનું અમારું કામ કરતા રહીશું"
પટેલ આંદોલન
મામલાને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસ ના સેલ પણ છોડ્યા હતા.