મોદીએ હવે નિવૃત્તિ લઇને ઘરે જતા રહેવું જોઇએ: જીજ્ઞેશ મેવાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં જીજ્ઞેશ મેવાણીએ પીએમ મોદીએ નિવૃત્તિ લેવી જોઇએ તેવી વાત કહેતા સોશ્યલ મીડિયામાં લોકોએ આપી પ્રતિક્રિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી ઇન્ડિયા ટીવીના ઇન્ટરવ્યૂમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે પીએમ મોદીના ભાષણ પકાઉ થઇ ગયા છે. અને હવે તે ઝુમલેબાજી સિવાય કશું નથી કરી રહ્યા. ના જ તેમના ભાષણમાં કોઇ કંટેન્ટ છે. માટે તેમણે નિવૃત્તિ લઇને થોડા સમય આરામ કરી લેવો જોઇએ. નોંધનીય છે કે આ પહેલા પીએમ મોદીએ ગુજરાતના આ ત્રણેય નવા નેતાઓ પર જાતિવાદની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં જીજ્ઞેશે જણાવ્યું કે અલ્પેશ, હાર્દિક અને હું ત્રણેય મળી વિકાસ અને રોજગારીની વાત કરીએ છીએ, જાતિવાદની નહીં.
ઉલ્લેખનીય છે કે આ ઇન્ટરવ્યૂમાં ત્રણેય અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ સંયુક્તપણે કહ્યું હતું કે તે આવનારા સમયમાં વધુ જલદ રીતે પોતાના પ્રશ્નોને મોદીની સામે મૂકશે. હાર્દિક પટેલ પણ કહ્યું કે આવનારા સમયમાં તે શહેરમાં પણ પાટીદાર આંદોલનને સશક્ત કરશે. અને પોતાના મુદ્દા પર આગળ વધશે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં દલિત અને ઓબીસી પ્રશ્નો સમેત અનામત, રોજગાર જેવા મામલે લડત આપવા અને ત્યાં સુધી લોકોની વાત પહોંચાડવાની વાત કરી હતી. જો કે બીજી તરફ જીજ્ઞેશ મેવાણીના આ ભાષણ પછી સોશ્યલ મીડિયામાં જીજ્ઞેશ મેવાણીના મોદી પરના ભાષણને અહંકારી પણ જણાવવામાં આવ્યું હતું.
Look at the Language used by GUJ's newly elected MLA @jigneshmevani80 for India's PM @narendramodi & Hardik is smiling!
— Tejas Barot (@imTejasBarot) December 19, 2017
Very disappointed to see such disgusting language for Country's Prime Minister, So arrogant he is! Anchor should have objected strongly !! pic.twitter.com/bfkJwI7Mks