For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સી પ્લેનમાં મુસાફરી કરશે PM મોદી, સાબરમતી ટૂ અંબાજી

સી પ્લેનમાં યાત્રા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે દેશના તેવા પહેલા વડાપ્રધાન જેમણે આ રીતે સાબરમતી રિવરફ્રન્ટ થી ધરોઇ ડેમનું અંતર પસાર કર્યું હોય. જે બાદ તે રોડ માર્ગે અંબાજી પણ જશે. વધુ વાંચો આ અં

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તેવા પ્રથમ વડાપ્રધાન બનશે જે Sea પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ ખાતે હવાઇ સફર કરીને જશે. અને તે પછી રોડમાર્ગે તે માં અંબાના દર્શન કરવા માટે અંબાજી જશે. નોંધનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટથી તેમનું આ સી પ્લેન ઉડીને ધરોઇ ડેમના સરોવરમાં ઉતરશે. અને ત્યાં જ આ રીતે જે બપોરે 2:30 સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરત ફરશે. ત્યારે સ્પાઇસ જેટની કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીની મદદથી આ સી પ્લેનના ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી ભવિષ્યમાં ટૂરીઝમને પણ લાભ થશે તેમ જાણવા મળ્યું છે.

Seaplane

નોંધનીય છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે PM મોદીએ તેમની સભામાં આ અંગે જાહેરાત કરી હતી. આમ કરીને મોદી દેશના પહેલા તેવા વડાપ્રધાન બનશે જે સી પ્લેનમાં બેસીને યાત્રા કરશે. તેમણે આ પ્રસંગે કહ્યું કે કોંગ્રેસ વિકાસની કલ્પના નહોતી કે ટુરિઝમ વધારવા માટે બધે એરોપોર્ટ ના બનાવી શકાય. અમે વોટર વે બનાવાની કામગીરી શરૂ કરી છે. અને તે માટે સ્પાઇજેટે પહેલી વખત 100 જેટલા પ્લેન કોરિયન કંપની પાસેથી કોન્ટ્રાક્ટ કરીને મંગાવ્યા છે. ત્યારે પીએમ મોદી કેવા સીપ્લેનમાં આ મુસાફરી કરશે તે અંગે જુઓ આ વીડિયો...

English summary
Pm Narendra Modi will fly in Seaplane from Sabarmati to Dharoi dam today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X