For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શનિવારે થશે ગણેશ વિસર્જન, શહેરોમાં ગોઠવાશે પોલીસ બંદોબસ્ત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ganesh chaturthi
અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ છેલ્લા દસ દિવસથી ગુજરાતના અમદાવાદ શહેર સહિતના વિવિધ શહેરો અને ગામડાઓમાં બિરાજેલા ગજાનન ગણપતિને શનિવારે વિદાય આપવામાં આવશે. શનિવારે ગણેશ વિસર્જન હોય તમામ શહેરમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ ગણેશભક્તોને પાણીમાં ઉંડે સુધી નહીં જવાની સુચના હરસાલની જેમ આ વર્ષે પણ આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં નારણપુરા, ખાડિયા, લાલ દરવાજા, પાલડી, બાપુનગર, વાસણા, દરિયાપુર, ભાઇપુરા, આંબાવાડી, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી સહિતના વિસ્તારોમાં ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરો દસ દિવસથી ધાર્મિકમય વાતાવરણમાં ગરકાવ થઇ ગયા છે. શનિવારે જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવનાર હોય ગણેશભક્તો સાથે કોઇ અઘટિત ઘટના ના ઘટે તે માટે પોલીસ સ્ટાફ તથા ફાયરબ્રિગેડ જવાનોને આગતોરા તૈયાર રહેવા નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે.

અમદાવાદમાં સાબરમતીમાં વિસર્જન કરવામાં આવતું હોય ભક્તોને ઉંડાણભર્યા પાણીમાં નહીં જવા પણ હરસાલની જેન અનુરોધ કરવામાં આવ્યો છે.

English summary
Day after tomorrow and it will be ganesh visarjan police have beefed up security at all the Ganpati mandals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X