PSIની શિક્ષક પત્નીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી
હિંમતનગરના PSIની પત્નીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે
સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા PSIની પત્નીએ આજે પોતાના પતિની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે આત્મહત્યા કરી જીવન ટુકાવતા ચકચાર મચી ગઇ છે. પતિની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું પોલીસને મેસેજ મળતા પોલીસ કર્મીઓ સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહેસાણા જિલ્લાના વસઇ પોલીસ સ્ટેશ માં પીએસઆઇ ચંદ્રેશ નાયક અત્યારે ફરજ બજાવે છે.
મળતી માહિતી મુજબ હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા PSI ચંદ્રેશ નાયકની પત્નીએ આપઘાત કર્યો છે.PSI ચંદ્રેશ નાયક મહેસાણા જિલ્લાના વસાઇ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.પતિની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી ચકચાર મચી ગઈછે. જો કે આપઘાતનું કારણ હજુ અકબંધ છે. જાણવા મળ્યા મુજબ મૃતક ડી.જી.વ ણઝારાની ભાણી થાય છે. પતિના આડા સંબંધોના કારણે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્ર પોલીસે વધુ તપાસ હાથધરી છે