For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૈરોબી હુમલામાં 68ના મોત, સાત ગુજરાતીઓના મોત

|
Google Oneindia Gujarati News

નૈરોબી, 23 સપ્ટેમ્બર : કેન્યાના એક શોપિંગ મોલમાં થયેલા આતંકવાદી હુમલામાં સાત ભારતીઓના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવાય રહ્યું છે કે તેમાંથી મોટા ભાગના ગુજરાતના રહેનારા છે, જોકે અધિકારીક રીતે હજી સુધી બે ભારતીયોના મોત થયાની ખરાઇ કરવામાં આવી છે.

આ શોપિંગ મોલમાં થયેલા આતંકી હુમલામાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મરનારા લોકોમાં 7 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે જેમની સાથે મરનારની સંખ્યા 68 થઇ ગઇ છે જ્યારે 175થી વધારે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે.

nairobi
સમાચાર છે કે આ મોલના મોટાભાગના વિસ્તારને કેન્યાની સેનાએ આતંકીઓથી મુક્ત કરાવી દીધું છે. સમાચાર એ પણ છે કે આતંકવાદીઓ સામે ટક્કર આપવા માટે ઇઝરાઇલી સેનાની પણ મદદ લેવામાં આવી છે. આ હુમલાની જવાબદારી અલ-શબાબ નામના સંગઠને લીધી છે, જે અલકાયદા સાથે જોડાયેલ હોવાનું કહેવાઇ રહ્યું છે. મોલમાં બીજા દિવસે પણ તણાવ ચાલુ છે.

કેન્યાની સેના અનુસાર, ઇસ્લામી બંધૂકધારીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલ મોટાભાગના લોકોને છોડાવી લેવામાં આવ્યા છે અને મોલનો મોટા ભાગનો વિસ્તાર હવે સુરક્ષિત છે. જોકે મોલ હજી આંતકવાદીઓના કબ્જામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોલ કચ્છના ઉદ્યોગપતિ લક્ષ્મણભાઇ એન્ડ કંપનીએ બનાવડાવ્યો હતો.

નૈરોબી આતંકવાદી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે જેમના નામની યાદી આ પ્રમાણે છે:

1. મિતુલ શાહ(જામનગર)
2. રાજેન સોલંકી(જામનગર)
3. અનુજ શાહ(જામનગર)
4. જ્યોતિ વાયા(રાજકોટ)
5. માલતિ વાયા(રાજકોટ)
6. નેહા મશરૂ(જામનગર)
7. નેહલ વાકેરિયા(ભુજ)

English summary
The terrorist attack at an upscale mall in Nairobi has sent shock waves in Gujarat's Saurashtra and Kutch. Seven Gujaratis killed in this terror attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X