સોનિયાનો મોદીને પ્રશ્ન: ગુજરાતમાં 10 લાખ બેરોજગારો કેમ?

તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતમાં સાચો વિકાસ થતો હતો. નહેરુએ રાજ્યના વિકાસમાં સારો એવો સહયોગ આપ્યો હતો. આજે પણ કેન્દ્રમાં રહેલી કોંગ્રેસની સરકાર ગુજરાતમાં વિકાસ થાય તે માટે પ્રતિબદ્ધ છે અને એ માટે તે સંપૂર્ણ મદદ કરી રહી છે, પરંતુ રાજ્યમાં સત્તાધિશ ભાજપ સરકાર કેન્દ્ર તરફથી મળતી સહાયમાં હેરાફેરી કરી રહી છે.
ગુજરાત સરકારની નીતિ પ્રજા વિરોધી છે. સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવામાં આવે છે. રાજ્યમાં 47 ટકા બાળકો કુપોષણથી પીડાઇ રહ્યાં છે. રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે પૈસા છે પરંતુ ગરીબો માટે તેમની પાસે પૈસા નથી. રાજ્ય દ્વારા 835 મેગા વોટ વિજળી વેંચવામાં આવે છે પરંતુ ખેડુતોને વિજળી અપાતી નથી. રાજ્યના ખેડુતો વિજળી અને પાણી માટે તરસી રહ્યાં છે. રાજ્યની સરકારમાં ભેદભાવની નીતિ છે, રાજ્યના કથળી ગયેલા વહિવટના કારણે
શિક્ષા અને સ્વાસ્થ્યમાં લાપરવાહી જોવા મળે છે, કાયદો વ્યવસ્થા પણ અયોગ્ય છે અને તેથી જ લોકો પોતાની જાતને અસુરક્ષિત માહોલમાં હોય તેમ અનુભવી રહ્યાં છે. આજે ગુજરાત જ્યાં છે ત્યાંથી તેના ફરીથી પ્રગતિ અને સાચા માર્ગમાં લાવવા માટે કોંગ્રેસ કટીબદ્ધ છે અને તેને એ કામ કરવા માટે તમારે કોંગ્રેસ પક્ષને સત્તામાં લાવવાનું છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
