અમરનાથ આતંકી હુમલા બાદ મૃતદેહ પહોંચ્યા સુરત, CM રહ્યા હાજર
અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકી હુમલા બાદ મૃતદેહો પહોંચ્યા સુરત. સીએમ વિજય રૂપાણી મળ્યા ઇજાગ્રસ્તોને. ગુજરાત સરકારે જાહેર કરી 10 લાખની સહાય.
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા આંતકી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે. ત્યારે આજે ખાસ વિમાનમાં દિલ્હીથી સુરત એરપોર્ટ ખાતે આ તમામ યાત્રીઓ માદરે વતન લાવવામાં આવ્યા હતા. સાથે આ હુમલામાં મૃત્યુ પામેલા યાત્રીઓના પાર્થિવ દેહને પણ સુરત લાવવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લઇને તેમના ખબર અંતર પૂછ્યા હતા. અને સાથે જ આ સમગ્ર ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો.

વધુમાં ગુજરાત સરકારે અમરનાથ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 10 લાખની સહાય જાહેર કરી છે અને જે ઇજાગ્રસ્ત થયા છે તેમને 2 લાખની સહાય જાહેર કરી છે. આ સિવાય સુરત એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 5 મહિલા સહિત કુલ 7 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને 14 વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. વધુમાં પ્લેનથી આ યાત્રામાં યાત્રીઓનો આબાદ રીતે બચાવ કરનાર ડ્રાઇવર સલીમ પણ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સતત ફાયરિંગ થઇ રહ્યું હતું પણ અમે રોકાયા વગર બસ ચલાવી લીધી જેના કારણે મોટા ભાગના લોકોને બચાવી શકાયા.
People from Gujarat who have lost lives will get Rs 10 lakh each from Gujarat Govt, injured to be given Rs 2 lakh: Vijay Rupani,Gujarat CM pic.twitter.com/fUOWmL4Hwd
— ANI (@ANI_news) July 11, 2017
Lagatar firing huyi, main isliye ruka nahi, bus chalata raha: Salim,Driver of the bus #AmarnathYatra pic.twitter.com/ZstNhhmmQF
— ANI (@ANI_news) July 11, 2017
-
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
