Gujarat News: 8 સપ્ટેમ્બરથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, સરકાર રજૂ કરશે 5 નવા વિધેયક
Gujarat Assembly session 2025: 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર આગામી 8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. આ 3 દિવસના સત્રમાં રાજ્ય સરકાર કુલ 5 નવા વિધેયક રજૂ કરશે. આ વિધેયકોમાં શ્રમ, નાણા, ઉદ્યોગ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સત્ર દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી વિધાનસભા સત્રની સંભવિત કામગીરી અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, સત્રની શરૂઆત 8 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરીથી થશે અને ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. વિધાનસભાના કાયદાકીય કામકાજનો મુખ્ય ભાગ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, જ્યારે કુલ 5 નવા વિધેયક રજૂ કરીને તેના પર ચર્ચા કરવામાં આવશે.
આ સત્રમાં નીચેના 5 વિધેયકો રજૂ કરાશે:
- કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025 - શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા.
- ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, 2025 - નાણા વિભાગ દ્વારા.
- ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025 - ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા.
- ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025 - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા.
- ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025 - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા.
આ દરેક વિધેયકનો ઉદ્દેશ્ય રાજ્યના સંબંધિત ક્ષેત્રોમાં સુધારા લાવવાનો છે. 'કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025' દ્વારા ઔદ્યોગિક રોકાણ વધારવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે કામના કલાકો સહિતની શરતોમાં સુધારા કરવામાં આવશે. આ વિધેયક તાજેતરમાં જારી થયેલા વટહુકમનું કાયદામાં રૂપાંતરણ કરશે.
બીજી તરફ, 'ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025' GST કાઉન્સિલની ભલામણોને ઝડપથી અમલમાં મૂકવા અને કેન્દ્ર તથા રાજ્યના GST કાયદા વચ્ચે એકરૂપતા જાળવવા માટે રજૂ કરાશે.
વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને ન્યાયાલયો પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે 'ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025' લાવવામાં આવશે, જે કાયદાકીય નિયમોને સરળ બનાવશે.
આરોગ્ય ક્ષેત્રે, 'ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025' આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરો માટે નિયમનકારી સંસ્થાનું નામ બદલીને 'બોર્ડ' ને બદલે 'કાઉન્સિલ' કરશે. જ્યારે 'ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025' રાજ્યની ક્લિનિકલ સંસ્થાઓને 2021ના કાયદા હેઠળ નોંધણી કરવા માટે વધુ વાજબી સમય પૂરો પાડશે.
-
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
Gujarat Weather: રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ












Click it and Unblock the Notifications
