UNESCO: વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયુ હડપ્પા સંસ્કૃતિનું શહેર ધોળાવીરા, CM રૂપાણીએ ગણાવી ગૌરવની ઘટના
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના ચાલુ 44માં અધિવેશનમાં 27 જુલાઈએ હડપ્પન યુગના મહાનગર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ (ડબ્લ્યુએચએસ) ની સૂચિમાં શામેલ કરવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે આ યાદીમાં સામેલ થવાની રેસમાં ઈરાનનાં
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના ચાલુ 44માં અધિવેશનમાં 27 જુલાઈએ હડપ્પન યુગના મહાનગર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ (ડબ્લ્યુએચએસ) ની સૂચિમાં શામેલ કરવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે આ યાદીમાં સામેલ થવાની રેસમાં ઈરાનનાં હવરામન, જાપાનનાં જોમોન જોર્ડન અને ધોળાવીરા સાથે ફ્રાન્સનાં નાઇસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે યુનેસ્કોએ તેના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને માહિતી આપી છે. ભારત માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે, તમને જણાવી દઈએ કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની બહુવિધ ક્ષેત્રોની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ઉમેરાયું છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાને સ્થાન આપીને યુનેસ્કોએ ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું ગૌરવ પ્રદાન કર્યુ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવતાં કહ્યું છે કે, ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઊજાગર કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ રણોત્સવની શરૂઆત કરાવીને વિશ્વભરના પ્રવાસન, સંસ્કૃતિ પ્રેમીઓને કચ્છમાં આવવા પ્રેરિત કર્યા અને સાથોસાથ આ પ્રાચીનત્તમ નગર ધોળાવીરા પણ પૂરાતન સ્થાનોમાં રસ-રૂચિ ધરાવનારા પ્રવાસન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. તેમણે ટ્વીટ કર્યું હતુ કે, "આ સમાચાર સાંભળીને ખૂબ જ આનંદ થયો. ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું અને તે આપણા ભૂતકાળ સાથેની એક ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે. ખાસ કરીને ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવતા લોકો માટે તે એક મહાન સ્થળ છે. મુલાકાત લેવી જ જોઇએ."
Absolutely delighted by this news.
— Narendra Modi (@narendramodi) July 27, 2021
Dholavira was an important urban centre and is one of our most important linkages with our past. It is a must visit, especially for those interested in history, culture and archaeology. https://t.co/XkLK6NlmXx pic.twitter.com/4Jo6a3YVro
પીએમ મોદીએ કહ્યું કે, "હું મારા વિદ્યાર્થી જીવન દરમિયાન પહેલીવાર ધોળાવીરા ગયો હતો અને તે સ્થાનની પ્રશંસા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને ધોળાવીરામાં વારસો સંરક્ષણ અને પુન સ્થાપન સંબંધિત પાસાઓ પર કામ કરવાની તક મળી. અમારી ટીમ ત્યાં પણ પર્યટન મૈત્રીપૂર્ણ માળખાગત નિર્માણનું કામ કર્યું. "
🔴 BREAKING!
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳😷 (@UNESCO) July 27, 2021
Dholavira: A Harappan City, in #India🇮🇳, just inscribed on the @UNESCO #WorldHeritage List. Congratulations! 👏
ℹ️ https://t.co/X7SWIos7D9 #44WHC pic.twitter.com/bF1GUB2Aga
અગાઉ તેલંગાણાના કાકતીયા રૂદ્રેશ્વર મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સમાવવામાં આવ્યું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ કર્યું છે. આ મંદિર 800 વર્ષ જૂનું છે, જેને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશને અભિનંદન આપ્યા હતા.
Happy to share the good news that
— KTR (@KTRTRS) July 25, 2021
the 800 year old Kakatiya Rudreshwara #RamappaTemple in #Telangana has been inscribed as a UNESCO #WorldHeritage Site
My compliments to everyone who was involved in the effort pic.twitter.com/BIPCCiHyOJ
આપને જણાવી દઈએ કે ધોળવીરા એ ભારતની હડપ્પન સંસ્કૃતિના સૌથી મોટા અને અગ્રણી પુરાતત્વીય સ્થળોમાંનું એક છે, જે ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખાદીરબેટમાં સ્થિત છે. આ સ્થળ કચ્છના રણમાં સ્થિત વિશાળ મીઠાના મેદાનોથી ઘેરાયેલું છે અને તેમાં પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો શામેલ છે.
Excellent! Congratulations to everyone, specially the people of Telangana.
— Narendra Modi (@narendramodi) July 25, 2021
The iconic Ramappa Temple showcases the outstanding craftsmanship of great Kakatiya dynasty. I would urge you all to visit this majestic Temple complex and get a first-hand experience of it’s grandness. https://t.co/muNhX49l9J pic.twitter.com/XMrAWJJao2