જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ઝુલાસણ, 5 એપ્રિલ : વિશ્વવિખ્યાત અવકાશયાત્રી અને મૂળ ગુજરાતના સુનિતા વિલિયમ્સ આ મહિનાના પ્રારંભથી એટલે કે 1 એપ્રિલથી ભારતની મુલાકાતે છે. 4 એપ્રિલ ગુરુવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા જ્યાં લોકોએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. અમદાવાદથી તેઓ સીધી ઝુલાસણ ગયા હતા. અહીં તેમના ગામના માતાજીના મંદિરે આરતી કરી હતી. ત્યાર બાદ ગામના લોકોને મળ્યા હતા. ખાસ કરીને તેમણે ઝુલાસણ ગામની છોકરીઓના અભ્યાસમાં રસ દાખવ્યો હતો અને શાળાઓની સ્થિતિ અને શિક્ષણ વિશે માહિતી મેળવી હતી.
હવે ગુજરાતમાં સુનિતા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ શાખાઓનાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ પહેલા સુનિતા વિલિયમ્સ 2007માં ભારત આવ્યા હતા. તેઓ 6 એપ્રિલના રોજ સવારે 8.30 કલાકે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા પોલીઓ ફાઉન્ડેશનની મુલાકાત પણ લેવાના છે. જ્યાં તેઓ સંસ્થા ના વિકલાંગ બાળકો, સેરબ્રલ પાલ્સીગ્રસ્ત બાળકો તથા મંદબુધ્ધિગ્રસ્ત બાળકો મળશે અને સંસ્થાની વિવિધ સેવાકિય પ્રવૃતિઓની જાણકારી મેળવશે.
જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા સુનિતા વિલિયમ્સ
જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ગામ ઝુલાસણમાં માતાજીના મંદિરમાં આરતી ઉતારી
જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ગામ ઝુલાસણમાં લોકો સાથે મુલાકાત
જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ઝુલાસણમાં લોકોએ કરેલું ભાવભીનું સ્વાગત
જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ગામના વડીલને મળીને આશીર્વાદ મેળવતા સુનિતા
જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ગામની કિશોરીઓ સાથે ખાસ મુલાકાત