For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: "પદ્માવત મુદ્દે શાંતિ ડહોળનાર સામે થશે કડક કાર્યવાહી"

ગુજરાતના ડીજીપી ઇનચાર્જે પદ્માવત વિરોધ મામલે તોડી ચુપ્પીપત્રકાર પરિષદમાં કરી કાયદાકીય કાર્યવાહીની વાતઆ અંગે વધુ વાંચો અહીં...

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાતમા ઠેર ઠેર 'પદ્માવત' ફિલ્મના રીલીઝમાં આગચંપી થઈ રહી છે અને સતત માહોલ ઉગ્ર બની રહ્યો છે, ત્યારે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે જે તત્વો અશાંતિ ફેલાવશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તેના માટે 11 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

gujarat dgp incharge

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં પણ અશાંતિ ફેલાવતા કે મેસેજ વાયરલ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી પ્રમોદ કુમારે કહ્યું કે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 6 આઈજી, 14 ડીવાયએસપી, 41 પીઆઈ, 237 પીએસઆઈ, 8 એસઆરપીની કંપની અને 2 આરએએફની કંપની ઉપરાંત 11,500 જવાનોને તૈનાત કરાયા છે. તો સાથે હોમગાર્ડના જવાનોની પણ મદદ લેવાઈ છે. સંવેદનશીલ વિસ્તારમાં આરએએફની ટુકડીઓ મંગાવવામાં આવી છે અને પોલીસ પેટ્રોલિંગ ત્રણ ગણું વધારી દેવાયું છે. પેટ્રોલિંગના વાહનમાં વીડિયોગ્રાફર પણ રાખવામાં આવશે.

English summary
What Gujarat DGP incharge said about Padmavat protest?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X