પંજાબ: ધુમ્મસને કારણે અથડાઇ ગાડીઓ, 10નું મૃત્યુ
પંજાબના બઠિંડામાં ધુમ્મસને કારણે થયેલ એક કારમો અકસ્માત થયો હતો. આ અકસ્મતમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ અંગે વધુ વાંચો અહીં.
પંજાબના બઠિંડામાં ધુમ્મસને કારણે થયેલ એક કારમો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. ઉપલબ્ધ જાણકારી અનુસાર, વિદ્યાર્થીઓ બસ સ્ટોપ પર બસની રાહ જોઇ રહ્યાં હતા, એ સમયે જ ત્યાં આવેલ બસે આ વિદ્યાર્થીઓને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટોપ પર ઊભેલા તમામ વિદ્યાર્થીઓ બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. બુધવારની સવારે વાતાવરણમાં ફેલાયેલા ધુમ્મસને કારણે આ ઘટના ઘટી હતી.
ધુમ્મસને કારણે રસ્તા પર લગભગ 35 ગાડીઓ અથડાઇ હતી. પોલીસ અનુસાર, આ વિદ્યાર્થીઓ કોલેજના હતા અને બસની રાહ જોઇ રહ્યાં હતા. અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું તથા 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વીટ કરી આ ઘટનામાં મૃત્યુ પામનારા માટે શોક વ્યક્ત કર્યો હતો. પંજાબના નાણાં મંત્રી અને બઠિંડાના ધારાસભ્ય મનપ્રીત સિંહ બાદલે મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા વળતર રૂપે આપવાની જાહેરાત કરી હતી.