કેન્દ્ર સરકારની નોકરીઓમાં 10% અનામત 1 ફેબ્રુઆરીથી લાગુ થશે
કેન્દ્ર સરકારની નોકરીઓમાં 10% અનામત 1 ફેબ્રુઆરીથી લાગુ થશે
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા જેવી રીતે કેન્દ્ર સરકારે ગરીબ સવર્ણોને આરક્ષણ આપવાનો ફેસલો લીધો છે તેને 1લી ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં લાગુ કરવામાં આવશે. ચૂંટણીને જોતા સરકાર આ ફેસલાને લાગુ કરવામાં કોઈપણ પ્રકારનું મોડું કરવા નથી માગતી. જેથી 1લી ફેબ્રુઆરીથી જ કેન્દ્રીય નોકરીઓમાં આરક્ષણ લાગુ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આર્થિક રૂપે ગરીબ સામાન્ય વર્ગના લોકોને શિક્ષા અને રોજગારીમાં 10 ટકા અનામત આપવાનો ફેસલો લીધો હતો, સરકારના આ બિલ બંને સદનમાં લીલી ઝંડી મળી ગઈ હતી.
આરક્ષણ સંબંધી કાનૂનને લઈ કેન્દ્ર સરકારે આદેશ જાહેર કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે 1લી ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની તમામ નોકરીઓમાં સવર્ણ આરક્ષણ લાગુ થશે. આ નોટિફિકેશન 19 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે પરિવારોની આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય અને તેમણે અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારનું આરક્ષણ નથી લીધું તો તેમને નવી વ્યવસ્થા અંતર્ગત અનામત આપવામાં આવશે.
કાર્મિક વિભાગ તરફથી જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે આરક્ષણ માટે અરજી કરનાર અરજદારના માતા-પિતાની સાથે તેમના ભાઈ-બહેન, પત્ની, બાળકોને પણ આ શ્રેણીમાં જ રાખવામાં આશે. સાથે જ પરિવારની આર્થિક સ્થિતિની તપાસ પણ કરવામાં આવશે. સાથે જ પરિવારની આર્થિક સ્થિતિની તપાસ કરવામાં આવશે. આ દરમિયાન ખેતી, નોકરી, વ્યાપાર અને આવકના તમામ સ્રોતોને જોડવામાં આવશે, જે બાદ જો પરિવારની આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી હોય ચે તે તેમને આરક્ષણ માટે યોગ્ય માનવામાં આવશે.
આ પણ વાંચો- અમદાવાદઃ બિટકોઈન ખંડણી કેસમાં સસ્પેન્ડેડ SPને મળ્યા જામીન