20-25 કરોડ લોકોને જુલાઈ 2021 સુધીમાં મળી શકે છે કોરોનાની વેક્સીન
નવી દિલ્લીઃ દેશમાં વધતા કોરોનાના કેસો વચ્ચે કોરોનાની વેક્સીન જલ્દીમાં જલ્દી તૈયાર કરવાની કોશિશ સતત ચાલુ છે. સરકાર કોરોનાની વેક્સીનને મોટાપાયે લોકો સુધી પહોંચાડવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર સરકારે લક્ષ્ય રાખ્યુ છે કે તે જુલાઈ 2021 સુધી 20-25 કરોડ લોકો સુધી કોરોના વેક્સીન પહોંચાડશે. આ અભિયાનને સફળ બનાવવા માટે અત્યારથી વૉલિંટિયર્સને પ્રશિક્ષણ આપવા અને આ આખી વેક્સીન અભિયાનને સફળ બનાવવા માટે કામ શરૂ થઈ ચૂક્યુ છે.
વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી કોરોનાની વેક્સીન પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે યોજના બનાવવી શરૂ કરી દીધી છે. રાજ્યોમાંથી આવા લોકોની સંખ્યા વિશે માહિતી માંગવામાં આવી છે જેમને પ્રાથમિકતા સાથે કોરોનાની વેક્સીનની જરૂર છે. કોરોનાની વેક્સીન વિતરણમાં સૌૈથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને પ્રાથમિકતા આપવામાં આવશે જે સતત આ કોરોના સંકટમાં લોકો માટે કામ કરી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ કે કોરોનાની વેક્સીન લોકોના સેન્ટ્રલાઈઝ મિકેનિઝમ દ્વારા પહોંચાડવામાં આવશે. સાથે જ રિયલ ટાઈમ મૉનિટરીંગ કરવામાં આવશે જેનાથી આનાથી કાળા બજાર ન થાય.
ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ કે અમારી પ્રાથમિકતા છે કે સૌથી પહેલા કોરોનાની વેક્સીન હેલ્થ વૉરિયર્સને મળે. જેમાં મુખ્ય રીતે ડૉક્ટર્સ, નર્સ, સેનિટરી સ્ટાફ, આશા વર્કર્સ, ટેસ્ટિંગમાં લાગેલા લોકો શામેલ છે. આ લોકોને કેવી રીતે વેક્સીન પહોંચાડવામાં આવશે તેની યોજના બનાવવામાં આવી રહી છે અને આ મહિનાના અંત સુધી તેને અંતિમ રૂપ આપી દેવામાં આવશે. અમે એવી પ્રણાલી બનાવવામાં લાગ્યા છે જેનાથી પારદર્શી અને પ્રભાવી રીતે લોકો સુધી આ વેક્સીનને પહોંચાડી શકાય. અમારી પ્રાથમિકતા છે કે વેક્સીન તૈયાર થયા બાદ તેને દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવે.
જામનગરમાં હાથરસ જેવી ઘટના, ઘેનની દવા ખવડાવી નરાધમોએ ગેંગરેપ કર્યો