For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિનાશકારી પૂરથી બેહાલ થયું નોર્થ ઇસ્ટ, અત્યાર સુધીમાં 23 ના મોત

ભારે વરસાદના કારણે આ દિવસોમાં ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં પૂરનું કહર ચાલુ છે. આ વિનાશક પૂરથી ઉત્તર પૂર્વમાં છેલ્લાં 24 કલાકમાં છ લોકો મૃત્યુ પામ્યા છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભારે વરસાદના કારણે આ દિવસોમાં ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં પૂરનું કહર ચાલુ છે. આ વિનાશક પૂરથી ઉત્તર પૂર્વમાં છેલ્લાં 24 કલાકમાં છ લોકો મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુ પછી મૃત્યુ આંક વધીને 23 થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આસામમાં શનિવારથી પાંચ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મણિપુરમાં એક માણસ મૃત્યુ પામ્યો છે. આસામમાં સતત વરસાદના કારણે રાજ્યના ઘણા વિસ્તારોનો ભૂપ્રદેશ ખૂબ જ ખરાબ થઇ ગયો છે.

બ્રહ્મપુત્રા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે

બ્રહ્મપુત્રા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે

રાજ્યમાં સતત વરસાદને કારણે રાજ્યની રાજધાની ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. 2-3 દિવસમાં તે જોખમી નિશાન પાર કરવાનું અનુમાન છે. કાર્બી આંગલોન્ગ વેસ્ટ, ગોલાગાટ, કરીમગંજ, હૈલાકાંડી અને કછાર જીલ્લાઓમાં આ વિનાશક પૂરથી 4.48 લાખથી વધુ લોકોને અસર થઈ છે. શનિવારથી પૂરને કારણે, ઉધરબોન્ડમાં બે લોકો અને કછાર જીલ્લાના સદર મહેસૂલ વિભાગના એક વ્યક્તિનું મોત થયું હતું. હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓમાં મહેસૂલ વિભાગના ડિવિઝન ખાતે એક એક વ્યક્તિનું મોત થયું હતું.

716 ગામો પૂરની લપેટમાં

716 ગામો પૂરની લપેટમાં

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) અનુસાર, પાંચ જિલ્લાઓમાં સત્તાવાળાઓ 481 રાહત શિબિરોમાં અને વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યા છે. જ્યાં 1,73,245 લોકો આ સમયે આશ્રય લઈ રહ્યા છે. આસામ અને ત્રિપુરાની પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ડિયન એર ફોર્સ એ અત્યાર સુધીમાં 8 ટન રાહત સામગ્રીનું વિતરણ કર્યું છે.એએસડીએમએ જણાવ્યું છે કે 716 ગામો પૂરની લપેટમાં છે અને 3,292 હેક્ટર પાક ખરાબ થઇ ગયો છે.

1.8 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત

1.8 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત

નોર્થ-ઇસ્ટ સીમાંત રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર પ્રણવ જ્યોતિ શર્માએ જણાવ્યું હતું કે લુમડિંગ-બદરપુર વિભાગમાં ટ્રેન સેવા બંધરખલ દમચારા સ્ટેશન વચ્ચે ભૂસ્ખલનને કારણે સ્થગિત થઈ હતી. મણિપુરમાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઈમ્ફાલમાં આજે સવારે વરસાદમાં ઘટાડો થયો હતો પરંતુ થોબાલ, ઈમ્ફાલ વેસ્ટ અને બિષ્ણુપુરની સ્થિતિ હજુ સુધી સુધરી નથી. રાજ્યમાં પૂરથી નુકસાન થયેલા ઘરોની સંખ્યા વધીને 22,624 થઈ ગઈ છે. 1.8 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.

રાજ્યમાં 189 રાહત કેમ્પ

રાજ્યમાં 189 રાહત કેમ્પ

ત્રિપુરામાં પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 189 રાહત કેમ્પમાં આશરે 40 હજારથી વધારે લોકો આશ્રય લીધો છે.

English summary
23 peoples Dead in Flood Northeast States Assam Situation Still Grim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X