26/11 હુમલો: ક્રિકેટ ફેન બનીને આવેલ સાઝિદે ખેલ્યો ખૂની ખેલ
જ્યારે પણ મુંબઇના 26/11ના આંતકી હુમલાની વાત આવે છે ત્યારે તમામ લોકોના મોઢા પર ખાલી ત્રણ નામ આવે છે એક કસાબ, જેને તેના કર્મોની સજા મળી ગઇ છે, બીજો લશ્કર એ તૈયબાનો જકી-ઉર રહેમાન લખવી અને ત્રીજો હાફિઝ સઇઝ. પણ આ સિવાય પણ એક નામ છે જેના વિષે ભાગ્યે જ કોઇ ચર્ચા કરે છે અને તે નામ છે સાજિદ મીર. જે ભારતમાં ક્રિકેટ ફેન બનીને આવ્યો હતો અને તેના લીધે જ મુંબઇમાં આ ખૂની ખેલ રચાયો હતો.
ત્યારે કોણ છે આ સાજિદ મીર. કેવી રીતે તેણે રચ્યો મુંબઇ હુમલામાં આ ખૂની ખેલ. તેનો શું હાથ હતો આ સમગ્ર ધટનામાં. અને કેમ હજી પણ ભારતની ગુપ્તચર સંસ્થા આ વ્યક્તિને દુનિયાભરમાં શોધી રહી છે. અને કેમ પાકિસ્તાન હજી તેમ જ કહે છે કે સાજિદ મીર કોઇ વ્યક્તિ નહીં ભારત દ્વારા બનાવવામાં આવેલું કાલ્પનિક કેરેક્ટર છે. આ તમામ સવાલોના જવાબ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....
કોણ છે સાજિદ મીર
ભારત અને અમેરિકા જ્યારે મળીને 26/11ના હુમલાની તપાસ કરી ત્યારે તેમણે જાણ્યું કે ભારતને સૌથી વધુ ક્ષતિ પહોંચાડવાનું કામ કર્યું છે સાજિદ મીર નામના આતંકીએ. દુનિયાની અનેક ગુપ્તચર સંસ્થાનું કહેવું છે કે તે પાકિસ્તાનમાં છે પણ પાકિસ્તાન સાજિદ મીરને એક કાલ્પનિક કેરેક્ટર ગણાવી રહી છે.
સાજિદ મીર
ઇઝરાયલ અને ભારતની ગુપ્તચર સંસ્થાએ પાકિસ્તાનની આ વાતને ખોટી સાબિત કરવા માટે સાજિદ મીરની લોકેશન પણ ટ્રેક કરી છે.
26/11માં શું હતો સાજિદનો રોલ?
સાજિદ લશ્કર એ તૈયબાનો ઇન્ટરનેશનલ ડિલિર છે. તે હાફિજ સઇદના ખાસ માણસોમાંથી એક છે. તેણે કરાચીના કંટ્રોલ રૂમમાં બેલીની તમામ આતંકીઓને દિશા નિર્દેશ કર્યો અને ક્યાં ક્યાં તબાહી મચાવી શકાય છે તે અંગે જણાવ્યું.
સાજિદ મીરના રહસ્ય
26/11ના હુમલાથી લગભગ બે વર્ષ પહેલા મીર એક ક્રિકેટ ફેન તરીકે ભારતમાં આવ્યો હતો. અને તેણે મુંબઇના વિવિધ સ્થળોનો સર્વે કર્યો હતો.
ડેવિડ હેડલી કનેક્શન
આ તે જ વ્યક્તિ છે જેણે મુંબઇ હુમલાઓને અંજામ આપ્યો હતો અને તે આ હુમલા વખતે કરાચીના કંટ્રોલ રૂમમાં બેઠો હતો. અને તે આ હુમલા વખતે ડેવિડ હેડલીની સાથે હતો.
સાજિદ મીર લોકેશન
2015માં જાણવા મળ્યું કે સાજિદ મુરડિકમાં છે જ્યાં લશ્કર તેનો કેમ્પ ચલાવે છે. સાજિદ પિતા લાહૌરના ગંદા નાળા લેનમાં રહે છે. હુમલા પછી તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે અને તેને ભારી ભરખમ સેલરી પણ આપવામાં આવે છે. આવા આતંકીઓ આઇએસઆઇએલની ખાસ પ્લાનને અંજામ આપે છે.
સાજિદ મીર
મુંબઇમાં અંધાધૂન ગોળીઓ વરસાવનાર આતંકવાદીઓને હિન્દી ભણાવનાર અબુ જિન્દાલની ધરપકડ બાદ ખબર પડી કે સાજિદ મીર પાકિસ્તાનમાં જ છે અને તે ત્યાંથી કદી પણ બહાર નહતો ગયો.