મોદી અને હિંદૂ ધર્મ વિરોધી સંગઠન પર પ્રતિબંધ
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
મોદી અને હિંદૂ ધર્મ વિરોધી સંગઠન પર પ્રતિબંધ
આંબેડકર પેરિયાર સ્ટડી સર્કિલ નામના વિદ્યાર્થી સંગઠન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓનું આલોચન કરવા અને હિંદૂ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવાનો આરોપ છે. જેના કારણે આઇઆઇટી મદ્રાસે આ વિદ્યાર્થી સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. અનેક વાર આ સંગઠન વિષે ફરિયાદ આવતા IIT મદ્રાસે આ નિર્ણય લીધો છે.
કેજરીવાલને સુપ્રિમ કોર્ટે લગાવ્યો મોટો ઝટકો
દિલ્હી સરકાર અને એલજી નજીબ જંગ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રિમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રિમ કોર્ટે આજે હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવીને દિલ્હી સરકારને નોટિસ મોકલી છે વધુમાં આ અંગે ત્રણ અઠવાડિયામાં તેમણે દિલ્હી સરકાર પાસેથી પોતાનો જવાબ માંગ્યો છે. જેનાથી કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે.
દિલ્હી એરપોર્ટ પર રેડિયોએક્ટિવ પદાર્થનો રસાવ
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલમાં તૂર્કીથી આવેલા એક કંટેનરમાંથી રેડિયોએક્ટિવ લીકેજ થયું છે. જે બાદ એરપોર્ટને ખાલી કરાવામાં આવ્યું છે. અને એનડીઆરએફની ટીમે તેમની કાર્યવાહી શરૂ કરી છે.
ગુર્જરોએ આંદોલન પાછું ખેચ્યું.
પાછલા આઠ દિવસથી રાજમાર્ગ અને ટ્રેન માર્ગ રોકીને બેઠેલા ગુર્જર સમાજે આજે તેમનું આંદોલન પાછું ખેંચ્યું છે. રાજસ્થાન સરકારે ગુર્જરોની માંગને પોતાની સહમતિ આપી છે. સરકારે કહ્યું છે કે વિધાનસભા સત્રમાં વિધેયક લાવીને ગુર્જર સમુદાયને 5 ટકા આરક્ષણ આપવામાં સરકાર મદદ કરશે.
ગુર્જર આંદોલન પર રાજસ્થાન હાઇકોર્ટ થઇ સખ્ત
જો કે એક બાજુ ગુર્જરોએ પોતાનું આંદોલન પાછું લીધું છે અને તેમની અને સરકાર વચ્ચે સહમતિ પણ થઇ ગઇ છે ત્યારે જ રાજસ્થાન હાઇકોર્ટે આ અંગે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
પઠાણકોટમાં મળ્યું સંદિગ્ધ કબૂતર
પાકિસ્તાન ભારતની બોર્ડર પાસે પંજાબના મનવાલ ગામમાં એક સફેદ કબૂતર મળ્યું છે. જેની પર ઉર્દૂ ભાષામાં લખાણ લખવામાં આવ્યું છે અને એક નંબર પણ લખેલો છે. હાલ પંજાબ પોલિસ અને ગુપ્તચર વિભાગ આ કબૂતર કોઇ જાસૂસી કબૂતર છે કે નહીં તે અંગે તપાસ કરી રહ્યા છે.
ફૂડ પાર્ક ફાયરિંગમાં બાબા રામદેવથી પૂછતાઝ
હરિદ્વારના પતંજલિ ફૂડ પાર્ક ફાયરિંગ મામલે હવે પોલિસ બાબા રામદેવની પૂછપરછ કરશે. નોંધનીય છે કે આ મામલે ટ્રક યુનિયનના એક સદસ્યની મોત થઇ ગઇ છે. વધુમાં પોલિસે બાબા રામદેવના ભાઇ રામભરતની પણ આ મામલે ધરપકડ કરી છે. પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે રામભરતને બાબા રામદેવે ફાયરિંગ કરવા ઉશ્કેર્યા હતા.
મનમોહનથી મોદી અર્થવ્યવસ્થા પર લેશન લે
ગુરુવારે, ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં એનએસયુઆઇના કાર્યકર્તાઓને સંબોધ્યા. જ્યાં તેમણે મોદી સરકાર પર હમલો બોલ્યો. રાહુલે મોદી સરકારની મેક ઇન ઇન્ડિયાને ઝીરો ગણાવી.વધુમાં મનમોહન મોદીની મુલાકાત અંગે બોલતા તેમણે કહ્યું કે મનમોહન જોડેથી મોદી અર્થવ્યવસ્થાના ક્લાસ લે છે.
રાહુલ શું ઇચ્છે છે કે મનમોહનનું અપમાન થાય?
કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીની મોદી પર કરેલી ટિપ્પણીનો વળતો જવાબ આપતા કહ્યું છે કે જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન હાલના વડાપ્રધાન જોડે સમય માંગે તો મોદીજીએ શિષ્ટ્રાચાર નિભાવતા સમય આપ્યો. તો શું રાહુલ ગાંધી તેમ ઇચ્છે છે કે મનમોહન સિંહનું વડાપ્રધાન તરીકે સન્નમાન ના થાય?
મોદીની વિદેશયાત્રા પર રાજનાથનું બયાન
તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પર સ્પષ્ટતા આપતા રાજનાથ સિંહે આજે કહ્યું કે મનમોહન સિંહે જેટલી વિદેશ યાત્રાઓ કરી છે તેટલી જ યાત્રાઓ મોદી પણ કરી છે. વધુમાં મોદીજીને તો લોકો પ્રોટોકોલ તોડી વિદેશમાં મળવા દોડી આવે છે. પણ ક્રોંગ્રેસને ખાલી ખોટો આરોપો કરવા છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 31મે જશે સ્વીડન અને બેલારુસ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 31મેએ સ્વીડન અને બેલારુસના અધિકૃત પ્રવાસ પર જવાના છે. તો બીજી તરફ સ્વીડન પણ ભારતના રાષ્ટ્રપતિના આ પ્રથમ પ્રવાસને લઇને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
અને બે મા-દિકરી હસી પડ્યા
ગુરુવારે, ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની એક દિવસની મુલાકાત પર હતા. જ્યાં સપોટર્સ દ્વારા બન્નેના ગળામાં એક માળા પહેરાવતા બન્ને કંઇક આમ હસી પડ્યા.
દિલ્હીમાં વીર સાવકર દીનની ઉજવણી
ગુરુવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના સાંસદીય ગૃહમાં સ્વાતંત્રસેનાની વિનાયક દામોદર સાવરકરની જન્મગાંઠ નિમિત્તે તેમને પુષ્પાજંલિ અર્પી.
ગુવાહાટીના સ્લમ વિસ્તારમાં લાગી આગ
ગુરુવારે, ગુવાહાટીના ભૂતનાથ સ્લમ વિસ્તાર ખાતે અચાનક લાગેલી આગમાં અનેક ઘરો બળીને ખાખ થઇ ગયા. ત્યારે ફાયરફાઇટરો એક બાજુ જ્યાં આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાંજ રહેવાસીઓ પોતાનો સામાન બચાવાની કોશિષ કરી રહ્યા છે.
સરકારી કર્મચારીઓ પર સરકારે પાણી નાંખ્યું
ગુરુવારે, શ્રીનગરમાં સરકારી કર્મચારીઓએ સિવિલ સચિવાલય સામે પોતાની વિવિધ માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલિસે ટોળોને ખંખેરવા તેમના પર રંગીન પાણી નાંખ્યું.
ગરમીએ આ મૂંગા પ્રાણીનો પણ હાલ બહાલ છે
જ્યારે આપણને તરસ લાગે છે આપણે તો તરત આપણી તરસ બુઝાવી લઇએ છીએ પણ આ મૂંગા પ્રાણીઓનું શું? આ પ્રાણીઓને આમ ટીપે ટીપે જ તેમની તરસ સંતોષવી પડે છે.
રસ્તા રોકો કાર્યક્રમ- હંસ સમુદાય દ્વારા
તમે રસ્તા પર જતા હોવ અને અચાનક જ તમારી સામે હંસોનો સમૂહ આવી જાય તો.. આવું જ કંઇક બન્યું ગુવાહાટીમાં જ્યાં સફેદ હંસોનો એક ટોળું રસ્તા પર આવી ગયું. અને વાહનચાલકોને તેમને પસાર થવાની રાહ જોવી પડી.
રસ્તો હરિયાળો નથી તો શું થઇ ગયું ટેક્સીનો છેને
કોલકત્તાના એક ડ્રાઇવરે પર્યાવરણ બચાવા માટે કંઇક નવીન કર્યું. તેણે પોતાની આખી ટેક્સી પર અલગ અલગ જગ્યાએ લીલું ઘાસ અને લીલાછમ પ્લાન્ટ લગાવી દીધા સાથે જ લોકોને પણ કહ્યું પર્યાવરણ છે તો આપણે છીએ.
CBSE 10માં રિજલ્ટ બહાર છોકરીઓએ જીતી બાજી
ગુરુવારે, કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે સીબીએસઆઇએ તેનું 10માં ધોરણનું રિઝલ્ટ બહાર પાડ્યું. જેમાં ટોપ 10 વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં આવી બાજી જીતી.
સ્મૃતિ ઇરાનીના ઘર સામે વિદ્યાર્થીઓનો દેખાવ
NSUIના વિદ્યાર્થીઓએ આજે દિલ્હી ખાતે કેન્દ્રીય માનવસંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીના ઘરની બહાર જોરશોરથી વિરોધ પ્રદર્શન કર્યું. મદ્રાસમાં આઇઆઇટીના વિદ્યાર્થી સંગઠન પર પ્રતિંબધ લગાવા માટે વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન કર્યું. જો કે સ્મૃતિએ આ બાબતે બોલતા કહ્યું કે મદ્રાસમાં જે પણ થયું છે તે નિયમોને આધિન થઇને થયું છે.