Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

1800 વર્ષ જૂના મંદિરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કાનો ખજાનો મળ્યો

1800 વર્ષ જૂના મંદિરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કાનો ખજાનો મળ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો હાલ સમાચારમાં છવાયેલો છે. જણાવી દઈએ કે હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે સોનભદ્રમાં સોનાની ખાણ મળી જેમાંથી 3000 ટન જેટલો સોનાનો ભંડાર છૂપાયેલો છે અને સરકાર જલદી જ આ સોના માટે ખુદાઈ કામ શરૂ કરશે. અહેવાલ આવ્યા બાદ આ સોનાની કિંમતને લઈને પણ અંદાજો લગાવવો શરૂ થઈ ગયો હતો. જો કે સોનાનો ખજાનો મળ્યાની વાત ચારોતરફ ફેલાઈ ગયા બાદ જિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાએ સ્પષ્ટ કરવું પડ્યું હતું કે સોનભદ્રની ખાણમાંથી 3000 ટન નહિ બલકે માત્ર 160 કિલો સોનું જ મળ્યું છે. સોનભદ્ર બાદ હવે એક મંદિરમાં ખોદકામ દરમિયાન એક કળશની અંદર વિશાળ માત્રામાં સોનાના સિક્કા મળી આવ્યા છે.

કળશમાંથી સોનાના 505 સિક્કા મળ્યા

કળશમાંથી સોનાના 505 સિક્કા મળ્યા

મામલો તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો છે, જ્યાં એક મંદિરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળી આવ્યા. જિલ્લાના થિરુવનાઈકવલ વિસ્તારમાં આવેલ ભગવાન શિવના પ્રાચીન જમ્બૂકેશ્વર મંદિરમાં ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે જ મજૂરની કુહાડી જમીનમાં દટાયેલા એક તાંબાના કળશમાં અથડાઈ. આ કળશને બહાર કાઢવામાં આવ્યું તો બધાની આંખો ફાટીને ફાટી રહી ગઈ, તેમાંથી કુલ 505 સોનાના સિક્કા મળ્યા જેનો વજન 1.716 કિલોગ્રામ છે. સિક્કા ઉપર અરબી ભાષામાં કંઈક લખેલું છે, જેને જોઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ સિક્કા 1000થી 1200 વર્ષ જૂના છે.

1800 વર્ષ જૂનું છે આ શિવ મંદિર

1800 વર્ષ જૂનું છે આ શિવ મંદિર

મંદિર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે જમીનની અંદર સાત ફીટ ઉંડા ખાડાના ખોદકામ દરમિયાન તેમને આ કળશ મળ્યો. મંદિરમાં જમીનની અંદરથી સોનાના સિક્કાથી ભરેલો કળશ મળવાના અહેવાલ જેમ જેમ આસપાસ ફેલાયા કે જોવા માટે લોકોની ભીડ જામવા લાગી. જે બાદ પોલીસને આ મામલાની સૂચના આપવામાં આવી અને મંદિર પ્રશાસને સિક્કા પોલીસને સોંપી દીધા. હાલ સોનાના આ સિક્કાની કિંમતને લઈ કંઈ જણાવવામાં આવ્યું નથી. આ મંદિર 1800 વર્ષ જૂનું હોવાનું જણાવાઈ રહ્યું છે.

3000 ટન સોનાની ખાણની વાત ખોટી

3000 ટન સોનાની ખાણની વાત ખોટી

જણાવી દઈએ કે યૂપીના સોનભદ્રમાં પણ પાછલા કેટલાય વર્ષોથી ભૂ વૈજ્ઞાનિક સોનાની તલાશ કરી રહ્યા છે. હાલમાં જ જ્યારે અહેવાલ આવ્યા કે સોનભદ્રમાં 3000 ટન સોનાના ભંડારનો પતો ચાલ્યો છે તો જિયોલોજિકલ સર્વે ઑફઈન્ડિયાના નિદેશક ડૉ જીએસ તિવારીએ જણાવ્યું કે સોનભદ્રની ખાણમાં 3000 ટન સોનું હોવાની વાત જીએસઆઈ નથી માનતું.

સોનભદ્રમાં કેટલું સોનું નિકળશે

સોનભદ્રમાં કેટલું સોનું નિકળશે

તેમણે જણાવ્યું કે સોનભદ્રમાં 52806.25 ટન સોનું હોવાની વાત કહેવામાં આવી છે જે શુદ્ધ નથી. આ સ્વર્ણ અયસ્કથી પ્રતિ ટન માત્ર 3.03 ગ્રામ જ સોનું નિકળશે. આ હિસાબે આખી ખાણમાં માત્ર 160 કિલો સોનું જ મળશે. તેમણે કહ્યું કે જીએસઆઈ તરફથી કોઈને પણ આવા પ્રકારના ડેટા આપવામાં આવ્યા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X