'એ મેરે વતન કે લોગો..'ના 51 વર્ષ પૂરા, લતા અને મોદી ફરી એક મંચ પર
મુંબઇ, 27 જાન્યુઆરી: જાણીતું દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગો...'ની સુવર્ણ જયંતી વર્ષને યાદગાર બનાવવા માટે સોમવારે મુંબઇમાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક મંચ પર ફરી એકવાર સાથે દેખાશે. આશા સેવાઇ રહી છે કે આ અવસરે લતાતાઇ મોદીની હાજરીમાં જાણીતું દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગો' પણ ગાશે.
આજે લગભગ એક લાખ લોકો એક સાથે આ ગીતને ગાઇને આ ગીતની સુવર્ણ જયંતી મનાવશે. આ અવસરે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લતા મંગેશકરને સન્માનિત કરશે. મુંબઇના મહાલક્ષ્મી રેસકોર્સમાં આયોજિત યોજાનાર કાર્યક્રમનું આયોજન શહીદ ગૌરવ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે..
આ અવસરે લતા મંગેશકરની સાથે યુદ્ધના નાયકો અને તેમનમા પરિવારના લોકોને સન્માનિત કરવામાં આવશે. લતાએ 27 જાન્યુઆરી, 1963ના રોજ પહેલી વાર એ મેરે વતન કે લોગો... ગાવામાં આવ્યું હતું, તો દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ સહિત ઘણા લોકોની આંખો નમ થઇ ગઇ હતી.
આ ગીત ત્યારે જાણીતુ બન્યુ જ્યારે લતા મંગેશકરે આને નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસરે રામલીલા મેદાનમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ઉપસ્થિતિમાં ગાવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને જુઓ વીડિયોમાં...