આંધ્ર પ્રદેશના પૂર્વ CM ચંદ્રાબાબુ નાયડુની રેલીમાં મચી ભાગદોડ, 7 લોકોના મોત
ચંદ્રાબાબુ નાયડુ કંદુકુર પહોંચ્યા, ત્યારે આ ઘટના ઘટી હતી. આ દરમિયાન રોડ શો દરમિયાન કેટલાક લોકો ગટરનું પાણી કેનાલમાં પડી ગયા હતા. જેના કારણે ત્રણ લોકોના શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ્ય ચંદ્રબાબુ નાયડુ બુધવારના રોજ એક રેલી યોજી હતી. આ રેલીમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં 7 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત સ્થિર છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ ચંદ્રાબાબુ નાયડુ કંદુકુર પહોંચ્યા, ત્યારે આ ઘટના ઘટી હતી. આ દરમિયાન રોડ શો દરમિયાન કેટલાક લોકો ગટરનું પાણી કેનાલમાં પડી ગયા હતા. જેના કારણે ત્રણ લોકોના શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. જ્યારે ટીડીપીના અન્ય બે કાર્યકરોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ ભાગદોડ બાદ ચંદ્રબાબુ નાયડુ ઘાયલ કાર્યકરોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓ માટે 10 લાખ રૂપિયાનું વળતર અને NTR ટ્રસ્ટ દ્વારા તેમના બાળકોના શિક્ષણ માટે ભંડોળની જાહેરાત કરી હતી.
આવા સમયે તેલુગુ દેશમ પાર્ટીએ કાર્યકરોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશે એક ટ્વીટમાં લખ્યું કે, ટીડીપી કાર્યકર્તાઓનું મૃત્યુ પાર્ટી માટે મોટું નુકસાન છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલોની સારી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
Andhra Pradesh | Seven TDP workers lost their lives after a scuffle broke out between party workers during a public meeting being held by TDP leader N Chandrababu Naidu in Kandukuru of Nellore district today.
— ANI (@ANI) December 28, 2022
7 people have lost their lives, injured admitted to hospital: Police pic.twitter.com/uqU1j8K66X
આ ઘટનામાં મૃતકોની ઓળખ આત્મકુરના દેવીનેની રવીન્દ્ર બાબુ, કોંડામુડુસુપલમના કલાવાકુરી યાનાડી, ઉલ્વાપાડુના યાતાગિરી વિજયા, કંદુકુરુના કાકુમણી રાજા, ગુલ્લાપાલેમના મારલાપાઈ ચિન્ના કોંડૈયા અને કંડુકુરુના પી પુરૂષોથમ તરીકે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી, જ્યારે કોઈ મોટા નેતાની રેલીમાં નાસભાગ મચી હોય. આ પહેલા પણ અનેક મોટા નેતાઓની રેલીમાં નાસભાગના સમાચાર આવ્યા છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
