તમિલનાડુઃ મંદિરમાં ભાગદોડ, 7 શ્રદ્ધાળુઓના મોત, પીએમે કર્યુ વળતરનું એલાન
તમિલનાડુના મુથિયમપલયના કુરુપુ સ્વામી મંદિરમાં ભાગદોડ થતા 7 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે જ્યારે 10થી વધુ ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે.
તમિલનાડુના મુથિયમપલયના કુરુપુ સ્વામી મંદિરમાં ભાગદોડના સમાચાર છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આ ભાગદોડમાં 7 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે જ્યારે 10થી વધુ ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ પીએમ મોદીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાની વળતરની રકમ આપવાની ઘોષણા કરી છે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાનું એલાન કર્યુ છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે આ દૂર્ઘટનામાં જે 7 લોકોના મોત નીપજ્યા છે તેમાં 4 મહિલાઓ પણ શામેલ છે. પોલિસે જણાવ્યુ કે મુથિયમપલયમ ગામનું એક મંદિર છે જેમાં વાર્ષિક ઉત્સવમાં સેંકડો શ્રદ્ધાળુઓ જમા થયા હતા. આ દૂર્ઘટના એ દરમિયાન બની જ્યારે ત્યાં પૂજારી શ્રદ્ધાળુને સિક્કા વહેંચી રહ્યા હતા. સિક્કા લેવાની હોડમાં ત્યાં ભાગદોડ મચી ગઈ. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
Tamil Nadu: 7 people died and more than 10 people were injured in stampede at Karupu Swamy temple in Muthampalayam, earlier today. PM Modi has announced an ex- gratia of Rs 2 lakh each for the next of kin of those who died and Rs 50,000 each for those were injured in the incident
— ANI (@ANI) 21 April 2019
ઘટના પર પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મદદ કરવાનું એલાન કર્યુ છે. આ સાથે સાથે પીએમ મોદીએ કહ્યુ કે એ લોકોના પરિજનો માટે તે મારી સંવેદના અને ઘાયલ થયેલા લોકો સાથે પ્રાર્થના. અધિકારીઓ દ્વારા દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.
An ex- gratia of Rs 2 lakh each for the next of kin of those who passed away has been approved from the PM’s National Relief Fund. Rs 50,000 each for the injured has also been approved.
— Chowkidar Narendra Modi (@narendramodi) 21 April 2019
જણાવવામાં આવી રહ્યુ છે કે ભીડ થયા બાદ પણ મંદિર પરિસરમાં સુરક્ષાની કોઈ ખાસ વ્યવસ્થા નહોતી જેના કારણે ભીડ બેકાબુ થઈ ગઈ અને ભાગદોડ મચી ગઈ. જો કે ભાગદોડ પાછળના કારણની માહિતી તો તપાસ બાદ જ માલુમ પડી શકશે.
આ પણ વાંચોઃ શ્રીલંકામાં 8મોં ધમાકો, મરનારની સંખ્યા વધીને 158 જેટલી થઇ