Mood of the Nation poll: 80% લોકોના મતે ખેડૂત આંદોલન પર બરાબર છે મોદી સરકારની નીતિ
નવી દિલ્લીઃ Mood of the Nation poll: ભારત સરકાર માટે વર્ષ 2020નો અંત ઘણો મુશ્કેલીભર્યો રહ્યો. જ્યારે સરકારે કોવિડ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા અને કોવિડ-19 સામે લડાઈમાં આગળ વધવાની તૈયારી કરી લીધી તો દિલ્લીની સીમાઓ પર બેઠેલા હજારો નારાજ ખેડૂતોએ તેમના માટે પડકાર ઉભો કરી દીધો. જ્યારે ખેડૂતો ત્રણ કૃષિ કાયદા માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે 80 ટકા લોકોએ સરકારના આ મુદ્દા(કૃષિ કાયદા) પર કામ કરવા અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. ઈન્ડિયા ટુડે દ્વારા કરાયેલ સર્વેક્ષણ મુજબ સરકારે આ મુદ્દે જનતાનુ સમર્થન મેળવ્યુ છે. સર્વેક્ષણમાં શામેલ 80 ટકા લોકોએ સરકારના આ મુદ્દાને નિયંત્રિત કરવાને સમર્થન કર્યુ છે અને કહ્યુ છે કે કૃષિ બિલ પર મોદી સરકારની નીતિ બરાબર છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારને આશા હતી કે તેના ત્રણ કૃષિ કાયદા ખેડૂતો માટે એ જ કરીને બતાવશે જે 1960ના દશકમાં ઘઉં અને ચોખામાં આત્મનિર્ભરતા મેળવવા માટે ભારતમાં હરિત ક્રાંતિએ કર્યુ હતુ પરંતુ ખેડૂતો ખાસ કરીને પંજાબ અને હરિયાણાા અમુક ભાગોમાં સરકારના ઈરાદા માટે એટલા આશ્વસ્ત નથી અને 26 નવેમ્બરથી દેશની રાજધાનીમાં સરકારને ઘેરીને બેઠા છે.
લાંબા સમયથી ગઠબંધન સહયોગી શિરોમણિ અકાલી દળ(એસએડી)એ આ મુદ્દે એનડીએને ઝટકો આપ્યો હતો જ્યારે હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીમંડળમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રીના પદેથી રાજીનામુ આપી દીધુ. સર્વેક્ષણમાં શામેલ 80 ટકા લોકોએ કહ્યુ કે તે આ મુદ્દાને સરકાર જે રીતે નિયંત્રિત કરી રહી છે તેનાથી સંતુષ્ટ છે જ્યારે 16 ટકા લોકોએ આના પર નાખુશી વ્યક્ત કરી.
જો કે, સર્વેક્ષણમાં મુદ્દા પર મંતવ્ય વિભાજિત કરવામાં આવ્યા હતા કે કાયદાથી કોણ વધુ લાભાન્વિત થશે, ખેડૂતો કે કૉર્પોરેટ? આના પર 34 ટકા લોકોનુ માનવુ છે કે બિલ ખેડૂતોની મદદ કરશે, લગભગ 32 ટકા લોકોએ કહ્યુ કે કાયદો કૉર્પોરેટ્સની મદદ કરશે જ્યારે 25 ટકા લોકોને લાગે છે કે કાયદો બંનેની મદદ કરશે. શું કૃષિ કાયદામાં સુધારો કરવો જોઈએ કે જે સરકાર કરવા રાજી છે કે પછી તેને રદ કરવા જોઈએ કે જે ખેડૂતો માંગ કરી રહ્યા છે. તેના પર 55 ટકા લોકોએ કાયદામાં સુધારો કરવાના પક્ષમાં દેખાયા જ્યારે 28 ટકા લોકોએ કહ્યુ કે ખેડૂતોની માંગ અનુાર તેને રદ કરવાની જરૂર છે.
WBમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં થઈ શકે ચૂંટણી તારીખનુ એલાન