9માં, 10માં ને 11માં ધોરણના છાત્રોને પરીક્ષા આપ્યા વિના જ આગળના ક્લાસમાં કરાશે પ્રમોટ
ચેન્નઈઃ તમિલનાડુમાં કોરોના મહામારીના કારણે છાત્રોની ફાઈનલ પરીક્ષા માટે રાજ્ય સરકારે મોટુ એલાન કર્યુ છે. તમિલનાડુ મુખ્યમંત્રીએ ગુરુવારે 9માં, 10માં અને 11માં ધોરણના છાત્રોની ફાઈનલ પરીક્ષા વિશે મોટુ એલાન કર્યુ છે. તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી એડપ્પાદી કે પલાનીસ્વામીએ કહ્યુ કે 9મા, 10મા અને 11માં ધોરણના છાત્રોને પરીક્ષા વિના જ આગલા ક્લાસમાં પ્રમોટ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આવુ કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રીએ આ નિર્ણય ચિકિત્સા વિશેષજ્ઞની ભલામણના આધારે લીધો હતો જે એ મંતવ્યના હતા કે વર્તમાન સ્થિતિ ધોરણ 10માં અને પ્લસ વન પરીક્ષા આયોજિત કરવા માટે અનુકૂળ નથી. રિપોર્ટ અનુસાર છાત્રોની સ્કૂલમાં ઈન્ટરનલ અસેસમેન્ટના આધારે તપાસ કરવામાં આવશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પેન્ડીંગ પરીક્ષાઓના ગુણોને માપદંડોમાં વિભાજિત કરવામાં આવશે. જ્યારે 80 ટકા ગુણોની ગણતરી છાત્રોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પરીક્ષાઓમાં કરવામાં આવશે. તેમની ઉપસ્થિતિના આધારે 20 ગુણ આપવામાં આવશે.
આ દરમિયાન દેશવ્યાપી તાળાબંધી લાગુ થયા બાદ પહેલી વાર તમિલનાડુમાં ધોરણ 10 અને 12 માટે સ્કૂલ 19 જાન્યુઆરી, 2021થી ફરીથી ખુલ્યા. ઘોષણા કરીને પલાનીસ્વામીએ કહ્યુ હતુ કે સ્કૂલોને માત્ર ધોરણ 10 અને 12 માટે ફરીથી ખોલવામાં આવશે. દરેક કલાકમાં 25 છાત્રો હશે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે પ્રતિરક્ષા સ્તરને વધારવા માટે કક્ષાઓમાં ભાગ લેતા છાત્રોને વિટામિન અને ઝિંક ટેબલેટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગુરુવારે સીએમ પલાનીસ્વામીએ વિધાનસભામાં સેવા નિવૃત્તિની વયમાં વધારાનુ એલાન કર્યુ છે. તેમણે કહયુ કે સરકારી કર્મચારીઓની સેવા નિવૃત્તિની વાય 59થી વધારીને 60 કરવામાં આવશે.
GSTના વિરોધમાં 26 ફેબ્રુઆરીએ ભારત બંધ, બજારો સંપૂર્ણપણે બંધ