Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હી વિધાનસભામાંથી રહસ્યમય સુરંગ મળી, બ્રિટિશ સમયમાં લાલ કિલ્લા સુધી જવા ઉપયોગ થતો હતો!

દિલ્હી વિધાનસભાની અંદર એક ગુપ્ત સુરંગ મળી આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે આ સુરંગ દિલ્હી વિધાનસભાને લાલ કિલ્લા સાથે જોડે છે.

દિલ્હી વિધાનસભાની અંદર એક ગુપ્ત સુરંગ મળી આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે આ સુરંગ દિલ્હી વિધાનસભાને લાલ કિલ્લા સાથે જોડે છે. આ ટનલ બ્રિટિશ યુગની છે અને તેનો ઉપયોગ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવહન કરવા માટે કરવામાં આવતો હતો, જેથી સામાન્ય લોકોના ગુસ્સા અને બદલાનો સામનો ન કરવો.

1993 માં ટનલ વિશે અફવા ઉડી હતી

1993 માં ટનલ વિશે અફવા ઉડી હતી

દિલ્હી વિધાનસભાના સ્પીકરે કહ્યું કે, જ્યારે હું 1993 માં ધારાસભ્ય બન્યો ત્યારે એવી અફવા હતી કે આ સુરંગ લાલ કિલ્લા તરફ જાય છે. તે સમયે મેં તેનો ઇતિહાસ શોધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ અંગે કેટલીક સ્પષ્ટ માહિતી મળી શકી ન હતી.

મેટ્રો પ્રોજેક્ટથી ટનલને નુકસાન થયું

મેટ્રો પ્રોજેક્ટથી ટનલને નુકસાન થયું

સ્પીકરે કહ્યું કે, અમને ટનલનું મોઢુ મળી ગયું છે પરંતુ અમે તેને વધુ ખોદી રહ્યા નથી, કારણ કે દિલ્હી મેટ્રો પ્રોજેક્ટ અને ગટર વ્યવસ્થાને કારણે ટનલના તમામ રસ્તાને નુકસાન થયું છે. વિધાનસભાને માહિતી આપતા ગોયલે કહ્યું કે દિલ્હી વિધાનસભાનો ઉપયોગ કેન્દ્રીય વિધાનસભા તરીકે થતો હતો. 1912 માં અંગ્રેજોએ રાજધાની કોલકાતાથી દિલ્હી ખસેડી પરંતુ પાછળથી 1926 માં અગ્રેજોએ આ ટનલનો ઉપયોગ સ્વતંત્રતા સેનાનીઓને કોર્ટમાં લાવવા માટે કર્યો હતો.

સ્વાતંત્ર્ય સેનાનીઓને રૂમમાં ફાંસી અપાતી હતી

સ્વાતંત્ર્ય સેનાનીઓને રૂમમાં ફાંસી અપાતી હતી

ગોયલે કહ્યું કે, અમને બધાને ખબર હતી કે અહીં ફાંસીનો ઓરડો પણ છે, પરંતુ તે ક્યારેય ખોલવામાં આવ્યો નથી. દેશની આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, ત્યારબાદ મેં આ રૂમનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું. અમે તે રૂમને સ્વાતંત્ર્ય સેનાનીઓના મંદિરમાં રૂપાંતરિત કરવા માંગીએ છીએ. એટલું જ નહીં, સ્પીકરે કહ્યું કે દેશની આઝાદીમાં દિલ્હી વિધાનસભાના ઇતિહાસને જોતા હું આગામી વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં આ રૂમ પ્રવાસીઓ માટે ખોલવા માંગુ છું અને આ માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે

પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે

વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે દેશની સ્વતંત્રતા ચળવળના ઇતિહાસને જોતા આ સ્થળ ખૂબ મહત્વનું છે અને આ સ્થળ સાથે ઘણી ઐતિહાસિક વાર્તાઓ જોડાયેલી છે. અમે ઇચ્છીએ છીએ કે આ સ્થળનું નવીનીકરણ કરવામાં આવે. જેથી પ્રવાસીઓ અહીં આવીને ઇતિહાસની ઝલક મેળવી શકે.

દિલ્હી બગીચાઓનું શહેર બનશે

દિલ્હી બગીચાઓનું શહેર બનશે

આ સાથે જ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ગુરુવારે મુખ્યમંત્રી પાર્કના બ્યુટિફિકેશન પ્લાનનું નિરીક્ષણ કર્યું હતું. સિસોદિયાએ કહ્યું કે દિલ્હીને બગીચાઓનું શહેર બનાવાશે અને લોકોને શહેરના સુંદર ઉદ્યાનોને બચાવવામાં સહકાર આપવા અપીલ કરી હતી. આ સાથે જ સિસોદિયાએ કહ્યું કે તેઓ પાર્કના બ્યુટિફિકેશન માટે સ્થાનિક લોકો પાસેથી સૂચનો પણ લેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X