એર ઇન્ડિયાના વિમાનમાં પેશાબ કરનાર વ્યક્તિની તસવીર આવી સામે, જાણો કોણ છે?
26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 77 વર્ષીય મહિલા પર પેશાબ કરનાર વ્યક્તિની ઓળખ શંકર મિશ્રા તરીકે થઈ છે.
26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 77 વર્ષીય મહિલા પર પેશાબ કરનાર વ્યક્તિની ઓળખ શંકર મિશ્રા તરીકે થઈ છે. ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની બિઝનેસ ક્લાસ ફ્લાઈટમાં આરોપી શંકર મિશ્રાએ નશાની હાલતમાં તેના સહ-યાત્રી પર પેશાબ કર્યો હતો. દિલ્હી પોલીસે આ મામલે શંકર મિશ્રા વિરુદ્ધ FIR નોંધી છે અને તેમની ધરપકડ માટે લુકઆઉટ સર્ક્યુલરની માંગ કરી છે. આ કેસમાં નામ સામે આવતાં શંકર મિશ્રા ફરાર છે. દિલ્હી પોલીસ આ કેસમાં શંકર મિશ્રાની વહેલી તકે ધરપકડ કરવા જઈ રહી છે. શંકર મિશ્રાના સંબંધીઓને મળવા માટે દિલ્હી પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે.
ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરે છે શંકર મિશ્રા
શંકર મિશ્રા અમેરિકન મલ્ટિનેશનલ નાણાકીય સેવા કંપની વેલ્સ ફાર્ગોના ભારતના ચેપ્ટરના ઉપપ્રમુખ છે. વેલ્સ ફાર્ગોની મુખ્ય કચેરી કેલિફોર્નિયામાં આવેલી છે. ઈન્ડિયા ટુડે અનુસાર, શંકર મિશ્રાની લિંક્ડઈન પ્રોફાઇલ જણાવે છે કે તે મુંબઈમાં એક બહુરાષ્ટ્રીય ફર્મ સાથે કામ કરે છે. જોકે, ગતરોજ અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીનું નામ શેખર મિશ્રા છે. શંકર મિશ્રા મુંબઈના મીરા રોડનો રહેવાસી છે.
લૂકઆઉટ સર્ક્યુલરની માંગ
દિલ્હી પોલીસે લુક આઉટ સર્ક્યુલર માટે કહ્યું દિલ્હી પોલીસે ગુરુવારે સંબંધિત સત્તાવાળાઓને પત્ર લખીને શંકર મિશ્રા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC)ની માંગ કરી હતી. ઈન્ડિયા ટુડે મુજબ દિલ્હી પોલીસે શંકર મિશ્રા વિરુદ્ધ એલઓસી માંગ્યું છે. શંકર મિશ્રાનું હાલનું ઠેકાણું જાણી શકાયું નથી, ન તો શંકર મિશ્રાએ પોલીસનો સંપર્ક કર્યો છે, તેઓ પોલીસ તપાસમાં જોડાઈ રહ્યા નથી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, શંકર મિશ્રા મુંબઈના રહેવાસી છે. અમે અમારી ટીમો મુંબઈમાં તેના જાણીતા સ્થળો પર મોકલી હતી, પરંતુ તે ફરાર હતો. અમારી ટીમ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આ કલમો અંતર્ગત દાખલ કર્યો ગુનો
શંકર મિશ્રા વિરુદ્ધ IPC કલમ 294 (જાહેર જગ્યાએ અશ્લીલ કૃત્ય), 354 (મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળજબરીથી તેણીની નમ્રતા દૂષિત કરવાના હેતુથી), 509 (શબ્દ, હાવભાવ અથવા કૃત્ય જે મહિલાની નમ્રતાને દૂષિત કરવાના હેતુથી) અને 510 ( દારૂના નશામાં ધૂત વ્યક્તિ દ્વારા જાહેરમાં દુષ્કર્મ) તેમજ એરક્રાફ્ટના નિયમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
DGCA એ એર ઈન્ડિયાને આપી નોટિસ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાના અધિકારીઓ અને ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટ વચ્ચે જે કંઈ થયું તેના માટે કેબિન ક્રૂને કારણદર્શક નોટિસ જારી કરી છે. DGCA એ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરીને પૂછ્યું છે કે એરક્રાફ્ટને હેન્ડલ કરતી વખતે ફરજમાં બેદરકારી બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. એર ઈન્ડિયાના વર્તણૂકને 'અનવ્યાવસાયિક' ગણાવતા, DGCAએ જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અનિયંત્રિત મુસાફરોને હેન્ડલ કરવા સંબંધિત જોગવાઈઓ અને નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.