ખટ્ટરને પંજાબી સીએમ કહેતાં આપના 70 કાર્યકરોની ધરપકડ, કેજરીવાલે કહ્યું- આ તો તાનાશાહી
ખટ્ટરને પંજાબી સીએમ કહેતાં આપના 70 કાર્યકરોની ધરપકડ
ચંદીગઢઃ આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે હરિયાણામાં શુક્રવારે સાંજે તેમની પાર્ટીના 70 કાર્યકર્તાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી કથિત રીતે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પંજાબીઓના સીએમ કહેવા પર થઈ છે. આપ નેતા નવી જયહિન્દે કહ્યું કે હરિયાણા સરકાર સીધે-સીધી તાનાશાહી પર ઉતરી આવી છે પરંતુ તેઓ ડરશે નહિં.
આપ પ્રવક્તા કુલદીપ કાદયાને કહ્યું કે આપ કાર્યકર્તાઓને ફેસબુક પર પોસ્ટ કરવા બદલ પકડવામાં આવ્યા છે. કુલદીપે કહ્યું કે તેઓ ખુદ અખબારોમાં જાહેરા દઈને ખુદને પંજાબીઓના નેતા કહી વોટ માંગે છે પરંતુ જો કોઈ અન્ય ફોટો શેર કરે છે તો રાત્રે જ પોલીસ દ્વારા તેમને ઉઠાવડાવી લેવામાં આવે છે જેવી રીતે આતંકવાદી કેમ ન હોઈએ, શું આ લોકતંત્ર છે.
ये तो अजीब विडंबना बीजेपी खुद पंजाबी नेता के विज्ञापन दे सकती है लेकिन अगर कोई ओर फ़ोटो शेयर करता है तो उसको रात में ही पुलिस द्वारा उठवा लिया जाता है जैसे वो आतंकवादी हों, क्या ये लोकतंत्र है??@ArvindKejriwal @NaveenJaihind pic.twitter.com/BxGPmGYeJm
— Kuldeep Kadyan (@KuldeepKadyan) December 29, 2018
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ કાર્યવાહી માટે ખટ્ટર સરકારની આલોચના કરી છે. કેજરીવાલે સવાલ કર્યો છે કે ખટ્ટર આ કેવી તાનાશાહી કરી રહ્યા છે. 70 કાર્યકર્તાઓને માત્ર ફેસબુક પર લખવા પર પોલીસે ઉઠાવી લીધા તે ક્યાંનું લોકતંત્ર છે. ઈન્ડિયન નેશનલ લોકદળના કેટલાક કાર્યકર્તાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પાર્ટીના સ્ટૂડેન્ટ લીડરે ફેસબુક પર ખટ્ટરને પંજાબીઓના સીએમ ગણાવતા બીજી જાતીના લોકો માટે કંઈ ન કરતા સીએમ તરીકે ગણાવ્યા હતા.
આ પણ વાંચો- ત્રણ ભારતીય 7 દિવસ સ્પેસમાં રહેશે, જાણો ગગનયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે