NewsX પ્રી-પોલ સર્વે મુજબ પંજાબમાં કોંગ્રેસને ચાન્સ નહીં, AAP સૌથી મોટી પાર્ટી બનશે!
પંજાબમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં જ્યાં આ વખતે કોંગ્રેસ સતત બીજી વખત સત્તા કબજે કરવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ અકાલી દળ ફરીથી ગુમાવેલી સત્તા માટે લડશે.
નવી દિલ્હી, 22 ડિસેમ્બર : પંજાબમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં જ્યાં આ વખતે કોંગ્રેસ સતત બીજી વખત સત્તા કબજે કરવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ અકાલી દળ ફરીથી ગુમાવેલી સત્તા માટે લડશે. પરંતુ આ બધાની વચ્ચે આ વખતે ભાજપ અને કોંગ્રેસથી અલગ થઈ ગયેલા કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા Pollstrat-NewsX એ ચૂંટણી પહેલાનો સર્વે હાથ ધર્યો હતો.
Pollstrat-NewsX પ્રી-પોલ સર્વે અનુસાર આ વખતે પંજાબમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત સત્તામાં આવશે. પોલ પ્રમાણે કોંગ્રેસ સત્તામાં વાપસી કરે તેવી સંભાવના નથી. 117 બેઠકોમાંથી કોંગ્રેસને 35.20 ટકાના વોટ શેર સાથે 40-45 બેઠકો જીતવાનો અંદાજ છે. પંજાબમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટી 38.83 ટકા વોટ શેર સાથે 47-52 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની શકે છે, પરંતુ બહુમતી નહીં મેળવી શકે.
બીજી તરફ શિરોમણી અકાલી દળને 21.01% વોટ શેર સાથે 22-26 બેઠકો અને 2.3% વોટ શેરસાથે ભાજપને માત્ર 1-2 બેઠકો મળવાનું અનુમાન છે. પોલસ્ટ્રેટ-ન્યૂઝએક્સ પોલ સર્વે મુજબ 35.70% ઉત્તરદાતાઓએ અમરિન્દર સિંહના કોંગ્રેસ છોડવાના નિર્ણયને લઈને નારાજગી દર્શાવી છે, જ્યારે 27.50% તેમના નિર્ણયને સમર્થન આપે છે. આ સિવાય રોજગાર, કૃષિ કાયદો, MSP, વીજળી, પાણી, રસ્તા, માફિયા રાજ, ડ્રગ્સ જેવા વિવિધ મુદ્દાઓ 39.20% ઉત્તરદાતાઓ માટે મહત્વપૂર્ણ છે.
સર્વેક્ષણના માત્ર 19.90% ઉત્તરદાતાઓએ કહ્યું કે કૃષિ કાયદો અથવા MSPની ચૂંટણી પર સીધી અસર પડશે. 39.20 ટકા ઉત્તરદાતાઓ માટે રોજગાર મુખ્ય મુદ્દો છે. કૃષિ કાયદાઓ પાછી ખેંચવાના મુદ્દા પર 59.90% ઉત્તરદાતાઓએ પાછા ખેંચી લેવાનું સંપૂર્ણ સમર્થન કર્યું હતું, જ્યારે માત્ર 14.30% લોકોએ કાયદાને રદ કરવાનું સમર્થન કર્યું ન હતું. પ્રખ્યાત મુખ્યમંત્રીના ચહેરા વિશે વાત કરીએ તો સીએમ ચન્ની રાજ્યના સૌથી પ્રખ્યાત મુખ્યમંત્રી છે.
સર્વે અનુસાર 33.60% લોકો પંજાબના આગામી મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને જોવા માંગે છે. બીજી તરફ 16.70% લોકોએ કેપ્ટન અમરિંદર સિંહનું નામ લીધું, 9.80% લોકો નવજોત સિંહ સિદ્ધુ, 22.20% લોકો ચરણજીત સિંહ ચન્ની અને 17.70% લોકો સુખબીર સિંહ બાદલને મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.