ઓવૈસીને વડાપ્રધાન બનાવવા છે, તો વધારે બાળકો પેદા કરો, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તારીખોની જાહેરાત જાન્યુઆરીના બીજા સપ્તાહમાં થઈ શકે છે. આવી સ્થિતિમાં મતદારોને પોતાના પક્ષમાં કરવા તમામ રાજકીય પક્ષો રેલીઓ અને વિજય રથયાત્રા કાઢી રહ્યા છે.
અલીગઢ : ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીની તારીખોની જાહેરાત જાન્યુઆરીના બીજા સપ્તાહમાં થઈ શકે છે. આવી સ્થિતિમાં મતદારોને પોતાના પક્ષમાં કરવા તમામ રાજકીય પક્ષો રેલીઓ અને વિજય રથયાત્રા કાઢી રહ્યા છે. આ ક્રમમાં ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ રાજ્યમાં મોટી સંખ્યામાં રેલીઓ યોજી રહ્યા છે.

વધુ બાળકો પેદા કરો તો જ મળશે સત્તા
આ દરમિયાન AIMIM પાર્ટીના અલીગઢ જિલ્લા અધ્યક્ષ ગુફરાન નૂરનું એક વિવાદાસ્પદ નિવેદન આ દિવસોમાં હેડલાઇન્સમાં છે, જેનો વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ANI ન્યૂઝ એજન્સીએ પણ ટ્વીટ કર્યો છે. વાયરલ વીડિયોમાં ગુફરાન નૂર કહેતા જોવામળી રહ્યા છે કે, જો ઓવૈસી સાહેબને વડાપ્રધાન અને શૌકત સાહેબને મુખ્યમંત્રી બનાવવા હોય તો વધુ બાળકો પેદા કરો.
વીડિયોમાં AIMIM પાર્ટીના અલીગઢજિલ્લા અધ્યક્ષ પોતાની આસપાસના લોકોને સમજાવતા જોવા મળે છે.
|
શું છે વાયરલ વીડિયોમાં?
એક મિનિટના આ વીડિયોમાં AIMIM પાર્ટીના અલીગઢ જિલ્લા અધ્યક્ષ ગુફરાન નૂર કહેતા સંભળાય છે કે, ઓવૈસી સાહેબ કહે છે, અલ્લાહથી ડરો, પરંતુ જ્યારેકોંગ્રેસ, બસપા અને સપાનું ભાષણ શરૂ થાય છે, ત્યારે તેઓ બીજેપીથી ડરે છે. પ્રથમ તફાવત કરો.
અમે મુસ્લિમ સમુદાય છીએ, ઈમાનથી નીચે પણ નથી ગયા અનેદરેક રીતે નીચે ગયા નથી. લોકો કહેતા કે સંતાન નથી, સંતાનો નથી તો રાજ કેવી રીતે કરીશું? કેવી રીતે ઓવૈસી સાહેબ વડાપ્રધાન બનશે અને શૌકત સાહેબમુખ્યમંત્રી બનશે?
બાળકોને પેદા ન કરવા માટે દલિતો અને મુસ્લિમોને ડરાવવામાં આવી રહ્યા છે. શા માટે બાળકો પેદા કરવાનું બંધ કરીએ? આ તો શરિયત વિરુદ્ધ છે.

વીડિયો વાયરલ થયા બાદ સામે આવ્યો ખુલાસો
જો કે આ વીડિયો વાયરલ થયા બાદ નૂરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે, જેટલો અમારો હિસ્સો બલિદાનમાં રહ્યો છે, તેટલી ભાગીદારી પ્રોડક્શનમાં નથી રહી. તેથીમારો અંગત મત છે કે, મારા સદર ઓવૈસી સાહેબ વડાપ્રધાન બનવું જોઈએ. આ કેવી રીતે થશે. પદ્ધતિની ચર્ચા કરવામાં આવી હતી અને મેં તેમાં કંઈ ખોટું કહ્યું નથી."
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
