For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : કાશ્મીરી મુસ્લિમોને ભારતમાં જિહાદ માટે ઉશ્કેરતો અલ કાયદાનો વિડિયો

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 19 જૂન : ભારતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જુની સમસ્યાઓને ઉકેલે એ પહેલા એક નવી સમસ્યા બહાર આવી છે. કાશ્મીરી મુસ્લિમોને ભારતમાં જિહાદ માટે ઉશ્કેરતો અલ કાયદાનો વિડિયો બહાર આવ્યો છે. કાશ્મીરના મુસ્લિમોને ભારત સામે જિહાદ માટે ઉશ્કેરતી અલકાઈદાના આ વીડિયોમાં લોકશાહી, બંધ, મંત્રણા અને સમાધાનના રાજકારણ સામે પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા છે.

આ વિડિયો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. આ વિડિયો 12 મિનિટનો છે. તેમાં મૌલાના અસીમ ઉમરે ઉર્દૂભાષામાં કાશ્મીરના મુસ્લિમોને સવાલો કરી રહ્યા છે.

તેમણે સવાલો કર્યા છે કે શા માટે તેમણે જિહાદનો જુસ્સો ગુમાવ્યો છે? અને લોકશાહી, બંધ મંત્રણા અને સમાધાનના પોકળ સૂત્રોમાં માનવાનું શરૂ કર્યું છે? બંદૂકોના સ્થાને પથ્થર ઉપાડવાનું કોણે કહ્યું છે? જિહાદના માર્ગને છોડી દેવાની ફરજ પાડવાનું કાવતરુ કોણે રચ્યું છે અને શાંતિમય વિરોધનો માર્ગ અપનાવવાનું કોણે કહ્યું છે? આ પોકળ સૂત્રોથી કોઈ દેશને આઝાદી મળી છે કે?

al-qaida-video-kashmir

મૌલાના ઉમર અલકાઈદાનો પાકિસ્તાન વિભાગનો નેતા હોવાનું કહેવાય છે. તેણે કાશ્મીરના લોકોને જિહાદ કરવા અનુરોધ કર્યો છે. અલકાયદાએ ભૂતકાળમાં કાશ્મીર અંગે ઓસામા બિનલાદેન અને તેના નાયબ આયમેન અલ-ઝવાહીરીના નિવેદનો પ્રગટ કર્યા હતા.

આ વિડિયોને 'જિહાદ ચાલુ રહેવી જોઈએ, કાશ્મીરના મુસ્લિમોને સંદેશો' એવા મથાળા સાથે બહાર પાડવામાં આવ્યો છે. એટલું જ નહીં વીડિયોમાં કાશ્મીરને આઝાદ કરવા માટે અફધાનિસ્તાનમાંથી શહિદોની વણઝાર આવી રહી છે એવું વચન આપવામાં આવ્યું છે.

આમાં મૌલાના ઉમરે પાકિસ્તાન અને બંને બાજુના કાશ્મીરના લોકોને પ્રશ્ર્નો કર્યા છે અને જવાબ માગ્યા છે. આમાં પૂછવામાં આવ્યું છે કે ભારતના લશ્કર સામે લડવાની તમારા નિર્ધારનું શું થયું? બ્રાહ્મણ જાદુ અથવા પાકિસ્તાનના તંત્રે કાશ્મીરની બાબતને ભૂતકાળની વાત માની લીધી હોવાને કારણે આ થયું છે કે? જિહાદ જે ગઈકાલ સુધી જરૂરી હતી તેને શા માટે ત્યજી દેવાઈ છે?

અફઘાનિસ્તાનમાંથી નાટોના દળો પાછા ખેંચાઈ રહ્યા છે ત્યારે આ વીડિયો પ્રગટ થવાની વાત મહત્ત્વની છે. નિષ્ણાતોએ એવો ભય વ્યક્ત કર્યો છે કે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનો કાશ્મીર ખીણમાં ઊતરી આવશે. વર્ષ 2013માં અલકાયદાના વડા અલ ઝવાહીરીએ ભારતના ભારતીય દળો સામે લડવાની બાબતને લીલીઝંડી આપી હતી. પાકિસ્તાન તાલિબાને પણ કાશ્મીરમાં ઘુસવાનો ઈરાદો જાહેર કરેલો છે.

આમ છતાં કાશ્મીરમાં અલકાયદાની જિહાદની વાત કોઈ કાને હાથ ધરવા તૈયાર નથી. દુખતરેને મિલાતના વડા આશિયા અદરાબીને બાદ કરતા સયદઅલી ગિલાની સહિત આઝાદીની તરફેણ કરતા જૂથોના નેતાઓએ અલકાઈદા, તાલિબાન અને તેની સાથે સંકળાયેલા જૂથોથી છેટું રાખ્યું છે.

જિહાદ માટે બંદૂકની જરૂર નથી, તમે કલમ, નાણાં અને વાચાથી આ લડત લડી શકો છો. અમે અહીં જે કરી રહ્યા છીએ તે ખરેખર જિહાદ જ છે એમ ગિલાનીએ જણાવ્યું છે.

આ રહ્યો એ વિડિયો...

English summary
Al Qaida video urges Muslims in Kashmir to launch Jihad on India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X